CMO Gujarat

27.2K posts

CMO Gujarat banner
CMO Gujarat

CMO Gujarat

@CMOGuj

Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India Katılım Ağustos 2016
300 Takip Edilen1.3M Takipçiler
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
Hon’ble PM Shri @narendramodi’s vision of #NationFirst inspires every Indian to contribute towards building a ‘Viksit and Atmanirbhar Bharat’. From 'Give It Up' LPG subsidy and 'Ek Ped Maa Ke Naam' to 'Vocal for Local' and ‘Swachh Bharat’ - Gujarat remains committed to this transformative journey. #SabkaSaathSabkaVikas #ViksitBharat
MyGovIndia@mygovindia

A Voice That Drives the Nation Forward Every appeal by PM @narendramodi reflects a consistent guiding principle, 'Nation First.' It is a call to look beyond individual interest, strengthen collective responsibility, and place the country at the centre of every action. A thread on how the message continues to inspire citizens to act with purpose, unity, and commitment toward India’s progress. #NationFirst #SabkaSaathSabkaVikas #ViksitBharat

English
0
6
13
953
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના મહોત્સવની ઉજવણી કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
GU
1
31
55
1.5K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાનશ્રીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આજે શુભારંભ થયેલ શિક્ષણ સહાય યોજના તેમજ લોકાર્પણ અને ભૂમિપૂજન થયેલ પ્રકલ્પો ભવિષ્યમાં રાષ્ટ્રનિર્માણના પ્રભાવશાળી આધારસ્તંભ સાબિત થશે. તેમણે સમાજ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાની પ્રેરણા આપી હતી. માનનીય વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને સ્પષ્ટ દિશાદર્શન આપવાની સાથોસાથ વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસરત હોવાનું જણાવી આ સંદર્ભે નાગરિકોની સક્રિય જનભાગીદારી અને જવાબદાર અભિગમ સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સરદાર સાહેબના સપનાના ભારતના નિર્માણ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને મજબૂત બનાવવાનો પ્રયાસ સરદારધામ કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત @ 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
9
21
935
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરા ખાતે સરદાર ધામ-૩ના લોકાર્પણની સાથોસાથ અમદાવાદ ખાતે સરદારધામ-કેળવણીધામ સંચાલિત ધરમશીભાઈ હરજીભાઈ મોરડિયા કન્યા છાત્રાલય ફેઝ-2નું ભૂમિપૂજન તેમજ ગુજરાતના સર્વ સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ₹500 કરોડની ‘સરદારધામ શિક્ષણ સહાય યોજના’નો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો હતો. સરદારધામ સંસ્થા દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને 'સરદાર ગૌરવ રત્ન એવોર્ડ'થી સન્માનિત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
2
41
93
3.5K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે વડોદરા ખાતે સરદારધામ સંચાલિત 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા હોસ્ટેલ કમ ઇન્સ્ટીટ્યૂટ 'સરદારધામ-3 : ડૉ.દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ'નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
GU
1
31
73
3.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
LIVE: વડોદરા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન તેમજ સરદારધામ-3 સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ. x.com/i/broadcasts/1…
GU
0
15
20
837
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીક સમાન શ્રી સોમનાથ મંદિરને નષ્ટ કરવા માટે વિદેશી આક્રાંતાઓ દ્વારા કરવામાં આવેલ અનેક પ્રયાસો બાદ પણ ન તૂટી અખંડ આસ્થા કે ન ખૂટી અવિનાશી ચેતના. 75 વર્ષ પહેલાં દેશની આઝાદી બાદ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની ભવ્યતાનું પુન:સ્થાપન કર્યું અને છેલ્લા એક દાયકામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસોથી આધુનિક સોમનાથનો માર્ગ પ્રશસ્ત થયો. દેશની આસ્થા, અડગ સંકલ્પ અને આત્મસન્માનના જીવંત પ્રતીક સમાન સોમનાથ ખાતે ઉજવાઈ રહ્યો છે સોમનાથની વિરાસતનાં 75 વર્ષનો અમૃત મહોત્સવ, ભારતની પ્રેરણાનો મહોત્સવ. #SomnathVirasatK75Varsh
GU
1
28
43
1.6K
CMO Gujarat retweetledi
PMO India
PMO India@PMOIndia·
सोमनाथ हमें याद दिलाता है कि कोई भी राष्ट्र तभी लंबे समय तक मजबूत रह सकता है, जब वो अपनी जड़ों से जुड़ा रहे: PM @narendramodi
PMO India tweet media
हिन्दी
98
283
1K
31.2K
CMO Gujarat retweetledi
PMO India
PMO India@PMOIndia·
सोमनाथ मंदिर का पुनर्निर्माण भी हुआ... और देश ने सदियों के कलंक को भी धो दिया: PM @narendramodi
PMO India tweet mediaPMO India tweet media
हिन्दी
36
200
875
26.1K
CMO Gujarat retweetledi
PMO India
PMO India@PMOIndia·
लुटेरों ने सोमनाथ मंदिर का वैभव मिटाने का प्रयास किया। वो सोमनाथ को एक भौतिक ढांचा मानकर उससे टकराते रहे! बार-बार इस मंदिर को तोड़ा गया... ये बार-बार बनता रहा... हर बार उठ खड़ा होता रहा!
PMO India tweet media
हिन्दी
64
295
928
31.1K
CMO Gujarat retweetledi
PMO India
PMO India@PMOIndia·
सोमनाथ अमृत-महोत्सव... ये अगले एक हजार वर्षों के लिए भारत की प्रेरणा है।
PMO India tweet media
हिन्दी
24
163
510
21.1K
CMO Gujarat retweetledi
PMO India
PMO India@PMOIndia·
75 साल पहले... आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना... ये कोई साधारण अवसर नहीं था। अगर 1947 में भारत आजाद हुआ था... तो, 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने... भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था: PM @narendramodi
PMO India tweet media
हिन्दी
26
174
556
20.5K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘સોમનાથ મંદિર : ભારત કી અતૂટ આસ્થા ઔર ભક્તિ કે 1000 વર્ષ’ વિષય પર વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર ઉપરાંત શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના પુન:ર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અમૃત અવસરે ₹75ના શુદ્ધ ચાંદીના ચલણી સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. #SomnathVirasatK75Varsh
GU
1
21
36
1.2K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે અને સોમનાથ અમૃત મહોત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે, તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. તેમણે ભારતની સાંસ્કૃતિક વિરાસતને ગૌરવ અપાવતા માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ પ્રયાસોથી સૌને માહિતગાર કર્યાં હતા તેમજ 'વિકાસ ભી વિરાસત ભી'ના મંત્ર સાથે વિરાસતોના ગૌરવગાન થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
10
21
570
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, 1947 માં ભારત આઝાદ થયું અને 1951 માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વિનાશમાં પણ સર્જનનો સંકલ્પ ચરિતાર્થ કરનાર સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસથી સૌને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે 500થી વધુ રજવાડાંઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આજના આ ‘સોમનાથ અમૃત મહોત્સવ’ને માત્ર અતીતનો ઉત્સવ જ નહીં, પણ આવનારા એક હજાર વર્ષો માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ ગણાવ્યો હતો. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
9
21
603
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર 'સોમનાથ અમૃત મહોત્સવ' ઉજવાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપરાંત સાધુ-સંતો અને ભક્તગણ સહિતની વિશાળ જનસમુદાય આ અવસરે સહભાગી થયા હતા. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
2
16
34
829
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથના આકાશમાં ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ભારતની હવાઈ શક્તિ, નિપુણતા અને ગૌરવને અભિવ્યક્ત કરતા દિલધડક એર-શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. #SomnathVirasatK75Varsh
GU
1
18
34
1.3K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના ઐતિહાસિક અને આધ્યામિક અવસરે શ્રી સોમનાથ મહાદેવના શિખર પર 11 તીર્થોના 1100 લીટર પવિત્ર જળથી મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરાવ્યો હતો. #SomnathVirasatK75Varsh
GU
1
25
44
1.2K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે વિરાસત અને વિકાસના સંગમતીર્થ સમાન પ્રભાસ પાટણની ભૂમિ પર પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
20
42
803
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના આ રોડ શોમાં ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા. દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેનાથી રોડ શોની સાથોસાથ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નેમ અને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત પણ ઉજાગર થઈ હતી. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
18
29
870
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર વધાવ્યો ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
23
54
1.1K