CMO Gujarat
27.6K posts

CMO Gujarat
@CMOGuj
Official account of the Chief Minister's Office, Government of Gujarat
Gandhinagar, India Katılım Ağustos 2016
301 Takip Edilen1.3M Takipçiler

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરીને ગાંધીનગર સંસદીય વિસ્તારને હરિયાળી લોકસભા વિસ્તાર બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે.
આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો છે.
આ વિશ્વવિક્રમી કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કૂલ બોર્ડ, BAPS સંસ્થા, CRADAI, પોલીસ સ્ટાફ, NCC ના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 25 હજારથી વધુ નાગરિકોની સક્રિય લોક ભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બન્યું હતું.
આ સિદ્ધિ અમદાવાદ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે.

GU

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ ઉપરાંત વિવિધ વિસ્તારમાં ડેવલપ કરાયેલ 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ AMC, AUDA અને માર્ગ-મકાન વિભાગના કુલ ₹405 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.




GU

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ ખાતે મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. x.com/i/broadcasts/1…
GU

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી તા.16 જૂલાઈના રોજ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા બાબતે પોલીસતંત્ર અને મહાનગરપાલિકાના તંત્રના આયોજન તેમજ સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિવિધ સ્થળોએ નીકળતી 230 જેટલી રથયાત્રાઓ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્વક, સલામતિ-સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય અને લોકો રથયાત્રાના દર્શન ઉલ્લાસભેર કરી શકે તેની સંપૂર્ણ તકેદારી રાખવા પોલીસતંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચૂસ્ત વ્યવસ્થાઓ કરવા પણ મ્યુનિસીપલ કમિશ્નરશ્રીને સૂચનાઓ આપી હતી.




GU

મુખ્યમંત્રીશ્રીનો ‘બેક ટુ સ્કૂલ મિશન’ અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ - વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં ચાલી રહેલ ‘બેક ટુ સ્કૂલ મિશન’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃપ્રવેશ પામેલા બાળકો, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃપ્રવેશ બાદના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી તેમજ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના તમામ બાળકોને શિક્ષણથી સુનિશ્ચિત કરાવવાના સંકલ્પનો સંદર્ભ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલા વ્યાપક સર્વેક્ષણ દરમિયાન કુલ 37,415 ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 29,451 બાળકોનો સફળતાપૂર્વક શાળા પુનઃપ્રવેશ કરાવવામાં આવેલ છે.




GU

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય સુવિધાઓ સાથે જ મેડિકલ સ્ટુડન્ટ્સની સંખ્યા પણ વધે તેવું નક્કર આયોજન કર્યું છે. તેમણે રાજ્યના આધુનિક આરોગ્ય વ્યવસ્થાના સુદ્રઢ માળખા તેમજ આરોગ્ય વિભાગની કલ્યાણકારી યોજનાઓની રૂપરેખા આપવાની સાથોસાથ સૌને સ્વસ્થ જીવનશૈલી માટે યોગ કરવા અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના લોકોને શ્રેષ્ઠ સારવાર સુવિધા તેમજ તબીબી શિક્ષણની જરૂરિયાતોને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વનું ડગલું ભરવા બદલ જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવી, ગ્રામ્ય સ્તરે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ વિકસાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.




GU

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વડગામ તાલુકાના તેનીવાડા ખાતે મેડીવંતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હેલ્થકેર કેમ્પસ ભૂમિપૂજન. x.com/i/broadcasts/1…
GU

'ટીબી મુક્ત ગુજરાત'ના સંકલ્પને વેગ આપતું શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય સેવા કાર્ય..!
સરકારની સાથોસાથ જનભાગીદારી અને સામાજિક સંસ્થાઓના આવા ઉમદા સહયોગથી જ ટીબી રોગના સંપૂર્ણ નિર્મૂલન થકી આપણે #TBMuktBharat અને #TBMuktGujarat ના સંકલ્પને સાકાર કરી શકીશું.
Info Kheda GoG@infokhedagog
આજે નડિયાદના યોગી ફાર્મમાં આયોજિત ટીબી નાબૂદી જાગૃતિ કાર્યક્રમમાં રૂ.૬૦ લાખના ખર્ચે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજે ૧૦૦૦ ટીબી દર્દીઓને છ મહિના માટે પોષણકીટનું વિતરણ કરાયું.જેમાં દરેક લાભાર્થીને ખજૂર સહિત દર મહિને અંદાજે ૯ કિલો પૌષ્ટિક રાશન અપાયુ. #TBMuktBharat #Kheda
GU

સંતુલિત વસ્તી, સુખી-સમૃદ્ધ ગુજરાત.
વસ્તી એ માત્ર એક સંખ્યા નથી, દેશના વિકાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવ સંસાધન છે. વસ્તીના સંતુલનથી જ સાચો વિકાસ શક્ય બને છે. આજના 'વિશ્વ જનસંખ્યા દિવસ' નિમિત્તે વસ્તી નિયંત્રણ બાબતે જાગૃત થઈએ અને આપણી જનસંખ્યાને જનશક્તિ બનાવી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરીએ, એક જવાબદાર નાગરિક તરીકે દેશની પ્રગતિનો આધાર બનીએ.
#WorldPopulationDay

GU

શાબાશ ગુજરાત..!
નવી દિલ્હી ખાતે આયોજિત '17th Agriculture Leadership Conclave-2026'માં કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહના વરદ્હસ્તે ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને નવીન પ્રયોગો બદલ પ્રતિષ્ઠિત 'Agriculture Leadership Award-2026' એનાયત કરવામાં આવ્યો, જેનો કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ રાજ્યના કૃષિ વિભાગ વતી સ્વીકાર કર્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું બાગાયત ક્ષેત્ર અવિરત પ્રગતિ કરી રહ્યું છે. આ ગૌરવપૂર્ણ પુરસ્કાર રાજ્યના લાખો ખેડૂતોના અથાક પરિશ્રમ તથા રાજ્ય સરકારની બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપતી નીતિઓનું ગૌરવવંતુ પ્રતીક છે.
#શાબાશ_ગુજરાત
GU

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નવી રચાયેલી વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે લેવામાં આવેલ આ નિર્ણયના પરિણામે નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પંપિંગ સ્ટેશન, વૉટર સપ્લાય પ્રોજેક્ટ, સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ, કન્વેન્શન સેન્ટર અને જાહેર બાગ બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું ત્વરાએ નિર્માણ થઈ શકશે તથા શહેરી વિકાસ કામોમાં પણ નવી ગતિ આવશે.
GU

Gujarat redefines the standards of health-care ecosystem..!
From multi & super speciality health facilities at Medicity and cutting-edge cancer care at GCRI to advanced cardiac excellence at UNMehta Institute and Ayushman Arogya Mandirs bringing primary health-care services closer to every citizen… Gujarat is redefining accessible, affordable and inclusive health-care for all.
Guided by the visionary leadership of Hon’ble PM Shri @narendramodi and progressive governance of CM Shri @Bhupendrapbjp, the quality health-care has reached to every life, every community and every corner of the State, shaping a healthier, stronger and more empowered Gujarat.
@TimesNow
English

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગવી સહજતા...
મુખ્યમંત્રીશ્રી આજે મુખ્યમંત્રી કાર્યાલય ધરાવતા સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સૌના સાનંદાશ્ચર્ય વચ્ચે સામાન્ય નાગરિકોને સામે ચાલીને મળ્યા હતા તેમજ તેમની સાથે આત્મીયતાથી વાતચીત કરીને તથા તેમની રજૂઆતોની વિગતો જાણીને પોતાના સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો.
GU











