Collector & DM Botad

5.8K posts

Collector & DM Botad banner
Collector & DM Botad

Collector & DM Botad

@Collectorbotad

Official Account of Collector & District Magistrate, Botad

Botad, India Katılım Haziran 2017
415 Takip Edilen17.4K Takipçiler
Collector & DM Botad retweetledi
Info Botad GoG
Info Botad GoG@InfoBotadGoG·
બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
Info Botad GoG tweet mediaInfo Botad GoG tweet mediaInfo Botad GoG tweet mediaInfo Botad GoG tweet media
GU
0
1
0
13
Collector & DM Botad retweetledi
Info Botad GoG
Info Botad GoG@InfoBotadGoG·
વસતિ ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કા માટે “સ્વ-ગણતરી” કરવા માટે બોટાદ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં નિવાસી અધિક કલેકટરશ્રી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
GU
0
1
1
52
Collector & DM Botad retweetledi
Info Botad GoG
Info Botad GoG@InfoBotadGoG·
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી; કલેક્ટરશ્રીએ 31મી મે સુધીમાં નાગરિકોને ‘સ્વ-ગણતરી’ કરી રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
Info Botad GoG tweet mediaInfo Botad GoG tweet mediaInfo Botad GoG tweet media
GU
0
3
26
1.5K
Collector & DM Botad retweetledi
Info Botad GoG
Info Botad GoG@InfoBotadGoG·
બોટાદના નવનિયુક્ત કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ પદભાર સંભાળ્યો; સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન બાદકાર્યભાર; જિલ્લાના પ્રશ્નો, વિકાસ કાર્યો અને સરકારશ્રીની યોજનાઓના ઝડપી અને ગુણવત્તાસભર અમલીકરણને અપાશે પ્રાથમિકતા:કલેક્ટરશ્રી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
Info Botad GoG tweet mediaInfo Botad GoG tweet mediaInfo Botad GoG tweet mediaInfo Botad GoG tweet media
GU
9
6
49
3.2K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના મહોત્સવની ઉજવણી કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
GU
1
44
81
3K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના આ રોડ શોમાં ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા. દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેનાથી રોડ શોની સાથોસાથ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નેમ અને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત પણ ઉજાગર થઈ હતી. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
18
30
1.2K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર વધાવ્યો ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
24
58
1.4K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે વિરાસત અને વિકાસના સંગમતીર્થ સમાન પ્રભાસ પાટણની ભૂમિ પર પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
21
46
1.1K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના ઐતિહાસિક અને આધ્યામિક અવસરે શ્રી સોમનાથ મહાદેવના શિખર પર 11 તીર્થોના 1100 લીટર પવિત્ર જળથી મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરાવ્યો હતો. #SomnathVirasatK75Varsh
GU
1
26
49
1.9K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથના આકાશમાં ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ભારતની હવાઈ શક્તિ, નિપુણતા અને ગૌરવને અભિવ્યક્ત કરતા દિલધડક એર-શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. #SomnathVirasatK75Varsh
GU
1
18
36
1.7K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે અને સોમનાથ અમૃત મહોત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે, તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. તેમણે ભારતની સાંસ્કૃતિક વિરાસતને ગૌરવ અપાવતા માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ પ્રયાસોથી સૌને માહિતગાર કર્યાં હતા તેમજ 'વિકાસ ભી વિરાસત ભી'ના મંત્ર સાથે વિરાસતોના ગૌરવગાન થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
10
26
1.3K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, 1947 માં ભારત આઝાદ થયું અને 1951 માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વિનાશમાં પણ સર્જનનો સંકલ્પ ચરિતાર્થ કરનાર સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસથી સૌને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે 500થી વધુ રજવાડાંઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આજના આ ‘સોમનાથ અમૃત મહોત્સવ’ને માત્ર અતીતનો ઉત્સવ જ નહીં, પણ આવનારા એક હજાર વર્ષો માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ ગણાવ્યો હતો. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
9
24
877
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘સોમનાથ મંદિર : ભારત કી અતૂટ આસ્થા ઔર ભક્તિ કે 1000 વર્ષ’ વિષય પર વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર ઉપરાંત શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના પુન:ર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અમૃત અવસરે ₹75ના શુદ્ધ ચાંદીના ચલણી સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. #SomnathVirasatK75Varsh
GU
1
21
44
2.1K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીક સમાન શ્રી સોમનાથ મંદિરને નષ્ટ કરવા માટે વિદેશી આક્રાંતાઓ દ્વારા કરવામાં આવેલ અનેક પ્રયાસો બાદ પણ ન તૂટી અખંડ આસ્થા કે ન ખૂટી અવિનાશી ચેતના. 75 વર્ષ પહેલાં દેશની આઝાદી બાદ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની ભવ્યતાનું પુન:સ્થાપન કર્યું અને છેલ્લા એક દાયકામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસોથી આધુનિક સોમનાથનો માર્ગ પ્રશસ્ત થયો. દેશની આસ્થા, અડગ સંકલ્પ અને આત્મસન્માનના જીવંત પ્રતીક સમાન સોમનાથ ખાતે ઉજવાઈ રહ્યો છે સોમનાથની વિરાસતનાં 75 વર્ષનો અમૃત મહોત્સવ, ભારતની પ્રેરણાનો મહોત્સવ. #SomnathVirasatK75Varsh
GU
1
31
49
2.2K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે વડોદરા ખાતે સરદારધામ સંચાલિત 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા હોસ્ટેલ કમ ઇન્સ્ટીટ્યૂટ 'સરદારધામ-3 : ડૉ.દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ'નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
GU
1
35
85
3.9K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર 'સોમનાથ અમૃત મહોત્સવ' ઉજવાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપરાંત સાધુ-સંતો અને ભક્તગણ સહિતની વિશાળ જનસમુદાય આ અવસરે સહભાગી થયા હતા. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
2
18
39
1.4K
Collector & DM Botad retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયેલા શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીનો અમૃત મહોત્સવ પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં ઉજવાઈ રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે ત્યારે સાક્ષી બનો આ સ્વર્ણિમ અવસરના, 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેયમંત્ર સાથે અતૂટ આસ્થાના પ્રતીક સમા આધુનિક સોમનાથની ભવ્યતા અને દિવ્યતાના. #SomnathVirasatK75Varsh
CMO Gujarat tweet media
GU
0
24
42
1.3K
Collector & DM Botad
Collector & DM Botad@Collectorbotad·
સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉજવાઈ રહ્યો છે સોમનાથ અમૃત મહોત્સવ.આવો, આ પવિત્ર અવસરે આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી બનીએ. જય સોમનાથ #SomnathVirasatke75Years
Collector & DM Botad tweet media
GU
0
0
0
61