Gujarat Congress retweetledi
Gujarat Congress
49.7K posts

Gujarat Congress
@INCGujarat
The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.
Katılım Mart 2009
266 Takip Edilen199.2K Takipçiler

📍इंदिरा भवन नई दिल्ली
आज देश में आदिवासी समाज के अस्तित्व, सम्मान और अधिकारों की रक्षा के लिए केवल न्याय के सच्चे योद्धा, नेता विपक्ष @RahulGandhi जी निरंतर संघर्ष कर रहे हैं।
उनकी दूरदर्शी सोच और प्रतिबद्धता के परिणामस्वरूप राष्ट्रीय आदिवासी सलाहकार परिषद का गठन हुआ है, जिसकी प्रथम बैठक उनकी गरिमामई उपस्थिति में होना एक ऐतिहासिक कदम है—जो आदिवासी समाज के अधिकारों, जल-जंगल-जमीन और संवैधानिक सुरक्षा को मजबूत करने की दिशा में नई आशा जगाती है।
आइए इंदिरा भवन में हम सभी मिलकर उनके इस संघर्ष से प्रेरणा लें और आदिवासी समाज के सम्मान, अधिकार और भविष्य की रक्षा के लिए एकजुट होकर आगे बढ़ें।
हिन्दी

તારીખ ૧૮-૩-૨૬
પ્રતિ,
શ્રી જગદીશ વિશ્વકર્મા
પ્રમુખ, ગુજરાત ભાજપ
વિષય: સત્તાના નશામાં અંધ બની ઇતિહાસના પુરુષોનું અપમાન કરનારા અને મોંઘવારીના તથા અછતના મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરનારા અલ્પજ્ઞાનીને જાહેર જવાબ.
શ્રીમાન,
તાજેતરમાં જાહેર મંચ પરથી તમે જે રીતે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી વિશે અત્યંત હલકી અને અસંસ્કારી ભાષા વાપરી છે, તે માત્ર રાજકીય અસહિષ્ણુતાનું નહીં પરંતુ તમારી ઇતિહાસ પ્રત્યેની ઘોર અજ્ઞાનતાનું જીવંત ઉદાહરણ છે. તમે મંચ પરથી અહંકારભેર પૂછ્યું કે “નેહરુજીને વિચાર આવ્યો હતો? તમારા દાદાને વિચાર આવ્યો હતો?” તો જરા કાન ખોલીને અને મન શાંત રાખીને ઇતિહાસના સાચા પાઠ ભણી લેજો.
ભારતમાં ઘરેલુ LPG ગેસની વ્યવસ્થા ૧૯૫૫થી શરૂ થઈ ગઈ હતી, જ્યારે બર્મા શેલ દ્વારા તેની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલની ઇન્ડેન, ભારત પેટ્રોલિયમની ભારત ગેસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમની એચ.પી ગેસ જેવી સરકારી કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં ગેસ વિતરણનું વિશાળ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું. આજે જેના આધારે તમે રાજકીય શ્રેય લેવાનો પ્રયાસ કરો છો, તે જાહેર ક્ષેત્રની આ મહારત્ન કંપનીઓ અને તેમના ગેસ પ્લાન્ટ, સ્ટોરેજ ડેપો તથા ગામડાં સુધી પહોંચેલું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કોંગ્રેસ શાસનની દાયકાઓ લાંબી આયોજનબદ્ધ નીતિ અને રોકાણનું પરિણામ છે. (નહી કે તમારા આકાની જેમ કોઈ ગંદી ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરીને ચા બનાવવાની શોધ વ્યવસ્થા) દેશની સમગ્ર ગેસ વ્યવસ્થા કોઈ જાદુની લાકડી ફેરવવાથી રાતોરાત ઉભી થઈ નથી તે ખાસ ધ્યાનમાં રાખવા અનુરોધ છે.
જરા તમારી ઉંમર અને ઇતિહાસનો હિસાબ પણ મેળવી લો. આપનો જન્મ ૧૯૭૩માં થયો છે. એટલે કે જ્યારે તમે ૧૯૭૩ માં પારણામાં ઝૂલતા ઘૂઘરે રમતા હતા, ૧૯૭૪માં સેરેલેક પીતા હતા અને ૧૯૭૫માં તમારા માતૃશ્રી તમને દૂધ ગરમ કરીને પીવડાવતા હશે, ત્યારે પણ આ દેશના લાખો મધ્યમવર્ગીય પરિવારોના રસોડામાં ગેસના ચૂલા સળગતા હતા. શક્ય છે કે તમારા માતૃશ્રીએ પણ એ જ ગેસના બાટલા પર રસોઈ બનાવી હશે. જે ગેસની વ્યવસ્થાથી તમે મોટા થયા, આજે એ જ વ્યવસ્થા માટે તમે પૂછો છો કે “કોઈએ આપ્યા હતા?”. આથી મોટી કૃતઘ્નતા બીજી કઈ હોઈ શકે?
હકીકત એ છે કે ૨૦૧૩ સુધીમાં (મોદી સરકાર પહેલા) દેશમાં અંદાજે ૧૫ કરોડ ઘરેલુ LPG કનેક્શન પહેલેથી જ અસ્તિત્વમાં હતા. એટલે કે તમે જે “ઉપલબ્ધિ”નો ડંકો વગાડો છો તે તૈયાર વ્યવસ્થામાં થોડા નવા કનેક્શન ઉમેરવાની વાત છે. અને હવે તો તમારી કહેવાતી ઉજ્જ્વલા યોજનાની વાસ્તવિકતા પણ જનતા સામે ખુલ્લી પડી ગઈ છે. મફત કનેક્શનના નામે ગરીબ પરિવારોને બાટલા તો આપી દીધા, પરંતુ આજે ગેસના રીફિલના ભાવ ૧૦૦૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરિણામે દેશના ૧ કરોડથી વધુ ગરીબ પરિવારોના કનેક્શન નિષ્ક્રિય પડી ગયા છે અને બહેનો ફરી લાકડાના ધુમાડામાં ચૂલો ફૂંકીને રસોઈ કરવા મજબૂર બની છે. જેને તમે “ચૂલા મુક્તિ” કહેતા હતા, તે તમારી મોંઘવારીની નીતિના કારણે ફરી “ચૂલા ભક્તિ” બની ગઈ છે.
તમે ગુજરાતના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ છો, એટલે એક સીધો સવાલ પણ પૂછવો છે. જો પડોશી રાજ્ય રાજસ્થાનમાં તમારી જ ભાજપ સરકાર ૫૦૦રૂપિયામાં ગેસનો બાટલો આપી શકે છે, ગૃહ મંત્રી શ્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરમાં એલાન કરે છે કે તેમની સરકાર આવશે તો ઈદના તહેવારમાં ગેસનો બાટલો મફત મળશે, તો ગુજરાતમાં બહેનો પાસેથી ૧૦૦૦ રૂપિયા કેમ વસૂલીને શા માટે અન્યાય કરવામાં આવે છે?. શું ગુજરાતની પ્રજા તમારા માટે માત્ર ભાષણો સાંભળવાનું અને ટેક્સ મેળવવાનું સાધન માત્ર છે?
સાચું કહું તો, તમારા આ પ્રકારના ઉશ્કેરણીભર્યા નિવેદનો પાછળ એક બીજી હકીકત પણ દેખાય છે. એવું લાગે છે કે ભાજપના આંતરિક સંગઠનમાં તમારી અગાઉના પ્રદેશ પ્રમુખની જેમ સ્વીકાર્યતા અને પ્રભાવ પ્રાપ્ત થઈ રહ્યો નથી. કદાચ એ જ કારણથી મીડિયામાં ચર્ચામાં રહેવા માટે તમે આવા સસ્તા રાજકીય ગતકડા અને ઇતિહાસના મહાન પુરુષો પર આક્ષેપો કરીને ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરો છો. પરંતુ યાદ રાખો, સસ્તી લોકપ્રિયતા માટે કરવામાં આવતી આવી રાજકીય કસરતો તમને તાત્કાલિક હેડલાઇન તો અપાવી શકે, પરંતુ જનતાના મનમાં સન્માન ક્યારેય અપાવી શકતી નથી.
ઇતિહાસના પાનાઓમાંથી પૂર્વજોના નામ ભૂંસી નાખવાથી કે ગલીછાપ ભાષા વાપરવાથી સત્ય બદલાતું નથી. દેશના વિકાસમાં અનેક પેઢીઓનું યોગદાન હોય છે, અને તે યોગદાનને સ્વીકારવું રાજકીય પરિપક્વતાનું લક્ષણ છે. જનતાને હવે તમારા ખાલી ભાષણોમાં રસ નથી. જનતાને રસ છે રસોડાના ખર્ચ બચાવવામાં, ગેસના ભાવમાં અને રોજબરોજના વધતા જીવનખર્ચ ઓછો થાય તેમાં.
GU

ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે.
જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું.
છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ,
ટૂટી પડતા બ્રિજ,
બેરોજગારી,
અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ.
કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.
ભાજપાએ પહેલા પોતાનું vision સુધારવું જોઈએ, પછી કોંગ્રેસને પ્રશ્ન પૂછવો.
GU

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @AmitChavdaINC દ્વારા શ્રી શંકરાચાર્યજીને આપેલા વચન અનુસાર ગૌમાતાને “રાજ્યમાતા”નો દરજ્જો અપાવવા માટે વિધાનસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું…
GU
















