CMO Gujarat

27.1K posts

CMO Gujarat banner
CMO Gujarat

CMO Gujarat

@CMOGuj

Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India Katılım Ağustos 2016
300 Takip Edilen1.3M Takipçiler
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઇની સુવિધા પૂરી પાડવાના સુગમ હેતુસર ₹161.59 કરોડના ખર્ચે વાત્રક જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત પાણીનું ઉદવહન કરી, અરવલ્લી જિલ્લાના 73 તળાવો ભરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ આ આયોજનથી આશરે 2200 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા સુનિશ્ચિત થશે, જે આ વિસ્તારના ખેડૂતોના જીવનમાં ખુશહાલી લાવવા સાથે નવી આશા અને પ્રગતિના દ્વાર ખોલશે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીની સાથોસાથ વીજળી, શિક્ષણ, આરોગ્ય સુવિધા તેમજ કનેક્ટિવિટી જેવી પાયાની સગવડો છેક છેવાડાના ગામો સુધી પહોંચે તેવું સુદ્રઢ આયોજન કર્યું છે, તેમણે આજે લોકાર્પણ થયેલ યોજનાથી અરવલ્લી જિલ્લાને થનાર લાભો વિશે તેમજ રાજ્યના આદિવાસી વિસ્તારમાં થયેલ સિંચાઈના કામો વિશે સૌને માહિતગાર કરી, આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
12
28
923
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને AUDA ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #AUDA x.com/i/broadcasts/1…
GU
1
7
17
462
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. x.com/i/broadcasts/1…
GU
1
9
21
440
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલ આ ફ્લાયઓવર બ્રિજથી નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
2
27
82
2.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ અને જનસુવિધાઓના નિર્માણનું મોડેલ સ્ટેટ બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
GU
1
22
48
1.2K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, જીવનમાં જ્યારે કોઈ શારીરિક ખામી કે મુશ્કેલ સમય આવે ત્યારે એકબીજાનો સાથ જીવનને સરળ બનાવે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાના સંયુક્ત પ્રયાસોનો હેતુ દિવ્યાંગો તેમજ વડીલોને મુખ્ય પ્રવાહમાં જોડીને વિકાસ કરવાનો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે દરેક ક્ષેત્રના સામાન્ય માનવીનો વિચાર કરીને, સૌને સાથે રાખીને આગળ વધી રહી છે ત્યારે શારીરિક ઉણપને ભૂલી, ભીતર રહેલી વિશેષતાને ઓળખવા તેમજ જીવનનો આનંદ લેવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
0
16
33
948
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કેન્દ્ર સરકારની 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' હેઠળ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણો વિતરિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યના મંત્રીશ્રીઓ સર્વશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ માનવતાવાદી અભિગમ દાખવીને સ્ટેજ પરથી નીચે ઉતરીને વડીલો પાસે જઈ તેમને ઉપકરણોના વિતરણની સાથોસાથ સંવેદનસભર સંવાદ સાધીને 'સરકાર આપને દ્વાર' ધ્યેયમંત્રને ચરિતાર્થ કર્યો હતો.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
6
32
73
2K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 'રાષ્ટ્ર પ્રથમ'ના ધ્યેયમંત્ર સાથે છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. તેમણે રાજકોટને સૌરાષ્ટ્રની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર ગણાવવાની સાથોસાથ શહેરીકરણને પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ સાથે રાજ્યમાં શહેરી વિકાસને વેગવાન બનાવતા રાજ્ય સરકારના અનેકવિધ પ્રયાસોની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાણાના અભાવે વિકાસનું કોઈ પણ કામ અટકે નહીં અને દરેક કામો ગુણવત્તા સાથે થાય તેવી નેમ વ્યક્ત કરી હતી.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
1
15
28
806
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના ₹207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને ₹543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, એમ કુલ ₹751.20 કરોડના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે EWS-II પ્રકારના 1010 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
3
37
79
1.8K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજકોટ ખાતે ₹751.20 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. x.com/i/broadcasts/1…
GU
3
25
53
1.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા યોજાયેલ 'હેતનો હોંકારો' અભિવાદન કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. રાજકોટના આનંદનગરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકોના વર્ષો જૂના પશ્નનું સુખદ નિરાકરણ લાવવા બદલ આ અવસરે સૌ મકાન ધારકો તેમજ સહયોગીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ છેવાડાના માનવીના કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે, આજનો આ કાર્યક્રમ તેમના આ જ ભાવને સાર્થક કરતો કાર્યક્રમ છે. તેમણે સૌ લોકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી, જનહિત માટે સદૈવ કટિબદ્ધ રહેવાની ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
3
37
63
1.7K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો અને વિતરણ વ્યવસ્થા માટેની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં PNG કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા PNG કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ, ડિઝલ, ગેસ જેવી ચીજવસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
4
44
133
4.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
LIVE: રાજકોટ ખાતે હાઉસિંગ બોર્ડ ધારકો દ્વારા અભિવાદન - હેતનો હોકારો કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિ. x.com/i/broadcasts/1…
GU
1
22
43
1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ થકી ખેડૂતો અને સામાન્ય નાગરિકોની સુગમતાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
GU
1
33
58
1.7K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32-G અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે. ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓમાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી, જેના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોના હિતમાં ખરીદ કિંમત ભરપાઈ કરવાની આ મુદત તા.31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે.
GU
5
47
95
5.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને ₹300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય. મુખ્યમંત્રીશ્રીના આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે. આ ઉપરાંત, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હકક પત્રક (record of rights) વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક્ક અંગેની ગેરસમજ ઘટશે. ₹300ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વેગ મળશે.
CMO Gujarat tweet media
GU
8
60
134
3.3K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી અનેક પહેલને કારણે રાજ્યમાં શિક્ષણ માટેની જાગૃતતા વધી છે અને દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ મળ્યો છે. તેમણે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબ અને લાઇબ્રેરીઓ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે આવેલ આમૂલ પરિવર્તનનો સંદર્ભ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓના અભ્યાસમાં પરિવારની આર્થિક સ્થિતિ બાધારૂપ ન બને તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે આર્થિક સહાય પૂરી પાડતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઉપલબ્ધ શિક્ષણ સુવિધાઓની રૂપરેખા આપવાની સાથોસાથ સ્ટાર્ટ-અપ રેંકિંગમાં ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી દેશમાં પ્રથમ સ્થાને હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મજબૂત સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ ઇકોસિસ્ટમના વિકાસથી રાજ્યની યુવાશક્તિના સામર્થ્યને પ્રોત્સાહન મળ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તેમની જ્ઞાનશક્તિ થકી યોગદાન આપવા આહવાન કર્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
2
28
51
1.1K
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ‌‌‌કુલ 13.96 લાખથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ₹354 કરોડથી વધુની શિષ્યવૃત્તિનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યું હતું.
CMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet mediaCMO Gujarat tweet media
GU
7
57
116
2.6K