Krunal Patel retweetledi

આઈ.ટી.આઈ. નાં વર્ગ ૩નાં કર્મચારીઓને માનસીક હેરાન કરવાના ઉચ્ચ અધિકારીઓના કાવતરાનો કર્મચારીઓને આરોપ…
આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટર ની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી અને માગણી સાથે મજાક થઈ રહી છે. 22-09-2023, 26-10-2023, 12-01-2024, 16-02-2024, 21-02-2024, 02-07-2024 આમ આ ૬ વખત માહીતી મંગાવી પરંતું બદલી કેમ્પ કરવામાં આવેલ નથી. વર્ષોથી પોતાના વતનમાં જવા કે પતિ કે પત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સ્થળે જવાં કે વૃઘ્ઘ માં-બાપની સેવાં કરવાં વતનમાં જવાં માંગતાં હજારો કર્મચારીઓને આ રીતે ૬-૬ વખત બદલીની માહીતી મગાંવી કેમ્પ અટકાવી આશરે ૭૫૦૦ કર્મચારી અને તેના પરીવારને માનસીક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેવા આરોપ પણ કર્મચારીઓ તરફથી કરવામાં આવ્યા છે.
#Gujarat #ITInews
GU
























