
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેટીચંડ મહોત્સવ સમિતિ દ્વારા અમદાવાદના નરોડા પાટિયા ખાતે આયોજિત ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સિંધી સમાજના ભાઈઓ-બહેનોને ચેટીચંડના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, સિંધી સમાજ સાહસ, પરિશ્રમ અને પુરુષાર્થ માટે ઓળખાય છે અને આ સમાજે વેપાર-વાણિજ્ય સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, સિંધમાંથી આવી ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનાર તેમજ દૂધમાં સાકરની જેમ ભળી જઈ રાજ્યના વિકાસમાં સક્રિય યોગદાન આપવાની સમાજની આ ભાવના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરે છે.




GU































