DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs
951 posts

DyDDO_Dangs
@DangsDyddo
Official account of Deputy District Development Officer Dangs
Katılım Kasım 2023
137 Takip Edilen111 Takipçiler
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi

📢 વસ્તી ગણતરી-૨૦૨૭ :
✅ ઘરે બેઠા કરો ઓનલાઇન સ્વ-ગણતરી
🌐 se.census.gov.in
મુખ્ય સ્ટેપ્સ :
🔹 કુટુંબની નોંધણી કરો
🔹 OTP દ્વારા વેરિફિકેશન કરો
🔹 રહેણાંકની વિગતો ભરો
🔹 નકશામાં ઘરનું લોકેશન સેટ કરો
🔹 પરિવારની તમામ વિગતો સચોટ ભરો
🔹 માહિતી ચકાસીને સબમિટ કરો
GU
DyDDO_Dangs retweetledi

📢 વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self-Enumeration) અભિયાન શરૂ
👮♀️ ડાંગના પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવે ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી અને નાગરિકોને જોડાવા અપીલ કરી.
🗓️ સ્વ-ગણતરી માટે સમયમર્યાદા : તા. ૩૧ મે ૨૦૨૬ સુધી
🌐 સત્તાવાર પોર્ટલ : se.census.gov.in
GU
DyDDO_Dangs retweetledi

વસ્તી ગણતરી-૨૦૨૭ માટે સ્વ-ગણતરી (Self-Enumeration) શરૂ
🗓️ તા. ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ સુધી નાગરિકો ઓનલાઈન સ્વ-ગણતરી કરી શકે છે.
👨💼 ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવાએ પોતે સ્વ-ગણતરી પૂર્ણ કરી અને નાગરિકોને સહભાગી થવા અપીલ કરી.
🌐 પોર્ટલ: [se.census.gov.in]
GU

આજરોજ ગ્રા.પં.કિરલી તા.સુબીરની મુલાકાત લઈ વહીવટી તપાસણી કરી. ઇ-ગ્રામ કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી.આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરી તથા ભૌતિક સુવિધાઓ બાબતની ચકાસણી કરી.વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યાં.
@CMOGuj @GujPRHDept @CollectorDan @ddo_dangs




GU
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi

'અષ્ટાંગ હૃદયમ્' ના સૂત્રસ્થાનમાં મહર્ષિ વાગ્ભટ્ટે ઉનાળાની બપોર (ગ્રીષ્મ ઋતુ મધ્યાહ્ન ચર્યા) વિતાવવા માટે અત્યંત રોચક, વૈજ્ઞાનિક અને વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્યના પ્રબળ કિરણો શરીરની શક્તિ અને ભેજ (જલીય અંશ) ને શોષી લે છે. આથી, બપોરના સમયે શરીરને અતિશય ગરમીથી બચાવવા અને તેને ઠંડક પ્રદાન કરવા માટે તેમણે ખાસ પ્રકારના વાતાવરણ અને જીવનશૈલીનું વર્ણન કર્યું છે:
૧. બપોરના આશ્રય માટેનું આદર્શ સ્થાન (ઘરનું વાતાવરણ)
મહર્ષિ વાગ્ભટ્ટ જણાવે છે કે ઉનાળાની બપોર એવા ઘરો અથવા ઓરડામાં વિતાવવી જોઈએ જે કુદરતી રીતે ઠંડા હોય:
વૃક્ષોથી ઘેરાયેલું ઘર: જે ઘરની આસપાસ ઘટાદાર વૃક્ષો આવેલા હોય જેથી સૂર્યનો સીધો તાપ ઘરમાં ન આવે.
પાણીની શીતળતા: જે ઓરડામાં માટીના પાત્રોમાં પાણી ભરીને રાખવામાં આવ્યું હોય, જેનાથી રૂમની હવા ભેજવાળી અને ઠંડી રહે છે.
સુગંધિત પડદા: વાગ્ભટ્ટના સમયમાં બપોરે લૂ અને ગરમીથી બચવા માટે બારી-બારણાં પર વાળા (ઉશીર) અથવા સુગંધિત ઘાસના પડદા લગાવી તેને પાણીથી ભીના રાખવાની સલાહ અપાતી, જે આજના સમયમાં 'કૂલર' જેવું કામ કરે છે.
૨. બપોરની ઊંઘ (દિવાસ્વપ્ન) ની વિશેષ છૂટ
આયુર્વેદમાં સામાન્ય રીતે બપોરે સુવાની સખત મનાઈ છે, કારણ કે તેનાથી કફ અને પિત્ત વધે છે. પરંતુ ગ્રીષ્મ ઋતુ (ઉનાળો) એકમાત્ર એવી ઋતુ છે જેમાં બપોરે સુવાની સ્પષ્ટ વૈજ્ઞાનિક છૂટ આપવામાં આવી છે.
ઉનાળામાં રાતો નાની હોય છે અને અતિશય ગરમીને કારણે શરીરમાં રહેલો કફ (જે શરીરનું બળ છે) ઘટી જાય છે અને વાયુ વધે છે. બપોરે હળવી ઊંઘ લેવાથી શરીરમાં ભેજ અને શક્તિ પાછી ફરે છે.
૩. માનસિક શાંતિ અને આરામ
ઠંડક આપતી શય્યા: બપોરે આરામ કરવા માટે ચંદનનું પાણી છાંટેલી સ્નિગ્ધ પથારી અથવા ઠંડક આપતી ચટ્ટાઈનો ઉપયોગ કરવો.
પ્રકૃતિની નજીક: બપોરનો સમય બગીચામાં ફુવારાની નજીક, નદી કે તળાવના કિનારે આવેલા ઠંડા વૃક્ષોની છાયામાં વિતાવવો હિતાવહ છે.
શાંતિદાયક સંગત: બપોરે માનસિક શાંતિ આપતી વાર્તાઓ સાંભળવી કે વાંચવી, પંખાની ઠંડી હવા લેવી અને ક્રોધ કે ચિંતાથી દૂર રહેવું, કારણ કે માનસિક ઉત્તેજનાથી શરીરમાં પિત્ત અને ગરમી વધુ વધે છે.
૪. બપોરે કરવા યોગ્ય શૃંગાર અને ઉપચાર
ચંદન લેપ અને હાર: ઉનાળાની બપોરે આખા શરીરે ચંદન અને કપૂરનો ઠંડો લેપ કરવો. મોતીની માળા ધારણ કરવી, કારણ કે મોતીની પ્રકૃતિ શીતળ (ઠંડી) માનવામાં આવે છે.
હળવા સુતરાઉ વસ્ત્રો: બપોરના સમયે એકદમ આછા અને ઝીણા સુતરાઉ (કોટન) વસ્ત્રો પહેરવા જેથી પરસેવો સુકાઈ જાય અને શરીર ઠંડું રહે.
૫. બપોરે શું ન કરવું? (વર્જ્ય વિહાર)
તડકામાં ભ્રમણ: બપોરના ૧૨ થી ૪ ના ગાળામાં સૂર્યના સીધા તાપમાં બહાર નીકળવું કે મુસાફરી કરવી બિલકુલ નિષેધ છે.
ભારે શારીરિક શ્રમ: બપોરે કોઈપણ પ્રકારની કસરત, વ્યાયામ કે ભારે વજન ઉચકવાનું કામ ન કરવું, તેનાથી શરીર તરત જ નિર્જલીકૃત (ડીહાઈડ્રેટ) થઈ જાય છે.
ટૂંકમાં, મહર્ષિ વાગ્ભટ્ટના મતે ઉનાળાની બપોર એ 'ન્યૂનતમ શ્રમ અને મહત્તમ શીતળતા' સાથે વિતાવવી જોઈએ જેથી ઉનાળાની કટોકટીમાં પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે.
#ayurvedaforwellness

GU
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના ‘વન-ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
આ MoU અનુસાર ડિજીટલ ગવર્નન્સને વેગ આપીને નાગરિકોને વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બનાવાશે અને ગ્રામીણ તથા શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશે.
લોકો માટે સરકારી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથોસાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરતા MoUથી નાગરિકોને વિવિધ સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ મૂક્તિ મળશે. આ ઉપરાંત, આ MoUનું અમલીકરણ થતાં રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ માટેની વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે.




GU
DyDDO_Dangs retweetledi

વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:” ની વિભાવનાને સાકાર કરતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું.. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવા અને 'લાઈનમાંથી ઓનલાઈન' અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને Meta વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MoU સંપન્ન થયા..
હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, 5 વિભાગોની 20 જેટલી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ જેવી કે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા અને ફરિયાદ નિવારણ સહાય સીધી પોતાના મોબાઈલ પર મેળવી શકશે...
#GujaratGovernment




GU
DyDDO_Dangs retweetledi

📢 વસ્તી ગણતરી-૨૦૨૭ : ડાંગ જિલ્લો
🏔️ યુવા પર્વતારોહક શ્રી ભોવાન રાઠોડે ઓનલાઈન Self-Enumeration પ્રક્રિયા પૂર્ણ કરી
✅ તા. ૧૭ થી ૩૧ મે સુધી se.census.gov.in પર સ્વ-ગણતરી સુવિધા ઉપલબ્ધ
✅ મોબાઈલ/લેપટોપથી સરળ ઓનલાઈન નોંધણી
✅ વધુમાં વધુ નાગરિકોને સ્વ-ગણતરીમાં જોડાવા અપીલ


GU
DyDDO_Dangs retweetledi

📢 વસ્તી ગણતરી-૨૦૨૭ : ડાંગ જિલ્લો
✅ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામિતે ઓનલાઈન Self-Enumeration પ્રક્રિયા પૂર્ણ કરી
✅ તા. ૧૭ થી ૩૧ મે સુધી se.census.gov.in પર સ્વગણતરી સુવિધા ઉપલબ્ધ
✅ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી.
#વસ્તીગણતરી૨૦૨૭ #SelfEnumeration #Dang



GU
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi

મહર્ષિ પતંજલિના [અષ્ટાંગ યોગ] માં યમ અને નિયમ એ પ્રથમ બે મહત્વપૂર્ણ અંગો છે, જે વ્યક્તિના સામાજિક અને વ્યક્તિગત આચરણને સુધારવા માટેના નૈતિક નિયમો છે. યમ આપણને સમાજ પ્રત્યે આપણું વર્તન કેવું હોવું જોઈએ તે શીખવે છે, જ્યારે નિયમ આપણી પોતાની જાત પ્રત્યેની શુદ્ધિ અને શિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નીચે યમ અને નિયમની સવિસ્તાર માહિતી આપવામાં આવી છે:
૧. યમ (સામાજિક નૈતિકતા)
યમ એટલે સંયમ કે નિગ્રહ. મહર્ષિ પતંજલિએ સમાજમાં શાંતિપૂર્વક રહેવા માટે પાંચ યમ દર્શાવ્યા છે:
અહિંસા: મન, વચન અને કર્મથી કોઈ પણ જીવને દુઃખ ન આપવું.
સત્ય: હંમેશા સાચું બોલવું અને વિચારો તેમજ વર્તનમાં પ્રમાણિક રહેવું.
અસ્તેય: ચોરી ન કરવી, અર્થાત કોઈના હકની વસ્તુ પડાવી ન લેવી.
બ્રહ્મચર્ય: પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અને ઊર્જાનો સદુપયોગ કરવો.
અપરિગ્રહ: જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો.
૨. નિયમ (વ્યક્તિગત શિસ્ત)
નિયમ એ વ્યક્તિના પોતાના આંતરિક વિકાસ, પવિત્રતા અને શિસ્ત માટેના નિયમો છે. નિયમો પણ પાંચ છે:
શૌચ: શરીર અને મનની શુદ્ધિ રાખવી (જેમ કે સ્નાન કરવું અને પવિત્ર વિચારો રાખવા).
સંતોષ: જે કંઈ પ્રાપ્ત થયું છે તેમાં ખુશ રહેવું અને લોભ ન કરવો.
તપ: લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મુશ્કેલીઓનો હસતા મુખે સામનો કરવો અને શિસ્તબદ્ધ જીવન જીવવું.
સ્વાધ્યાય: સદગ્રંથોનું વાંચન કરવું અને દરરોજ આત્મનિરીક્ષણ કરવું.
ઈશ્વર પ્રણિધાન: પોતાના દરેક કર્મો ભગવાનને અર્પણ કરવા અને તેમનામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી.
યમ અને નિયમનું મહત્વ
મનની સ્થિરતા: આ બંનેના પાલન વિના મનની ચંચળતા દૂર થતી નથી, જે યોગ માટે અનિવાર્ય છે.
પાયાના પગલાં: આસન કે પ્રાણાયામ શીખતા પહેલાં ચારિત્ર્ય શુદ્ધ હોવું જરૂરી છે, જે યમ-નિયમથી શક્ય બને છે.
સાત્વિક જીવન: તે મનુષ્યના જીવનને દિવ્ય અને આદર્શ બનાવે છે.
#internationaldayofyoga
#yogaforwellness
#yogaforwisdom
#yogaforworldpeace

GU
DyDDO_Dangs retweetledi

રાજ્યમાં ચાલી રહેલ જનગણના-૨૦૨૭ અંતર્ગત આજરોજ સ્વ-જનગણના પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરી પોતાની અને પરિવારની વિગતો ભરીને ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી, તેમજ જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા આહવાન કરૂ છું.
@CMOGuj
@revenuegujarat
@dcogujarat
GU
DyDDO_Dangs retweetledi
DyDDO_Dangs retweetledi

પૃથ્વીને સુરક્ષિત અને પર્યાવરણને સંતુલિત રાખવા માટે સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન અને પારસ્પરિક સહયોગ અનિવાર્ય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક સંપદાના સંવર્ધન અને સંરક્ષણના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે અનેકવિધ પહેલ હાથ ધરી છે.
આવો, આજના ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ’ નિમિત્તે પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેનું સંતુલન જાળવવાના સહિયારા પ્રયાસો માટે સંકલ્પબદ્ધ થઈએ.
#InternationalBioDiversityDay

GU








