આજ બરવાળા ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાયરૂપ બનેતે હેતુથી નાવડાના વતની શ્રી રામભાઈ રાઠોડ દ્વારા પોષણ કીટ આપવામાં આવી હતી.આરોગ્ય ટીમ દ્વારા દર્દીઓને નિયમિત દવા લેવા, પૌષ્ટિક આહાર લેવા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. સમાજના સહયોગથી ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂતી મળી રહી છે