
જે નાગરિકો અને રાજ્યના રક્ષણ માટે મોટામાં મોટું જોખમ લઈને પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે દિવસ - રાત જોયા વિના લડીને પોતાની ફરજનિષ્ઠા દાખવવા તૈયાર હોય છે, તેવા ATS ના પોલીસ અધિકારીઓ - કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના ૪૫% જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. ATS ના પોલીસ કર્મીઓના હિત માટે કલ્યાણકારી નિર્ણય લેવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમની સજ્જતા નાગરિકોને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે તેવા નિષ્ઠાવાન પોલીસ કર્મીઓની દરકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.





























