શિક્ષકોની ભરતી વિલંબ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબનું નિવેદન..
📍વેઇટિંગ માટે અમે પોર્ટલ બનાવ્યું છે.
📍અમે નવી પરીક્ષાઓ માટે આગળ વધીએ છીએ.
તમારું આ બાબતે શું માનવું છે!?🤔🤔
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં, માન. નાણામંત્રી શ્રી @KanuDesai180 જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવી ૮૫ સરકારી માધ્યમિક શાળાઓ (૭૦ બિન-આદિજાતિ અને ૧૫ આદિજાતિ વિસ્તારમાં) અને ૦૫ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી.
@CMOGuj l @PMOIndia
@Mulubhai_Bera
જય દ્વારકાધીશ
સવિનય જણાવવાનું કે, વર્ષ 2022 થી ઘણાં પ્રાથમિક શિક્ષકોની બદલી થયેલ છે, પરંતુ તેઓ હજુ સુધી બદલીથી છૂટા થઈ નવી શાળાએ હાજર થઈ શક્યા નથી, તેઓને બદલીથી 100% છુટ્ટા કરવા ઘટતું કરવા નમ્ર વિનંતી
@kuberdindor
માનનીય શિક્ષણ મંત્રીશ્રી
2022 થી બદલી પામેલ પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી બદલીથી છૂટા કરવામાં નથી આવ્યા, તો તેઓને બદલીથી 100% છૂટા કરવા નમ્ર વિનંતી
@Mulubhai_Bera માનનીય શ્રી મુળુ ભાઈ બેરા સાહેબ,
જય દ્વારકાધીશ
ઘણા પ્રાથમિક શિક્ષકોના બદલીના ઓર્ડર છેલ્લા બે વર્ષથી થઈ ગયા છતાં મહેકમની સમસ્યાના લીધે તેઓ પોતાના વતનમાં બદલી વાળી શાળામાં હાજર થઈ શક્યા નથી, તો આ બાબતે આપને નમ્ર વિનંતી કે સરકારશ્રી દ્વારા યોગ્ય ઘટતું કરવામાં આવે...
@kuberdindor માનનીય શ્રી ડિંડોર સાહેબ સાદર નમસ્કાર
પ્રાથમિક શિક્ષકોના છેલ્લા બે વર્ષથી બદલીના ઓર્ડર થઈ ગયા છે પણ હજુ સુધી એમને બદલીની શાળામાં બદલીથી જવા નથી મળ્યું, આ બાબતે કાંઈ હકારત્મક નિર્ણય લઈ એમને પણ પોતાના વતન લાભ મળે તેવી અપેક્ષા
📢 અગત્યની માહિતી
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે આજે તારીખ:૨૭/૦૬/૨૦૨૫ ના રોજ બંને ભરતીમાં Final Allotment (અંતિમ શાળા ફાળવણી) જાહેર કરવામાં આવેલ છે.
ઉમેદવાર પોતાના login માં જઈને શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરી શકશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદ્હસ્તે રાષ્ટ્રીય ડેરી બોર્ડ (NDDB)ના હીરક જયંતી સમારોહ તથા શ્રી ત્રિભુવનભાઈ પટેલની જયંતી પર ખેડૂતલક્ષી યોજનાઓનો શુભારંભ. સ્થળ :- આણંદ.
x.com/i/broadcasts/1…
16 માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયા તથા કમિશનના સભ્યો સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક કરી.
ફાયનાન્સ કમિશન 1 લી એપ્રિલ 2026 થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ 31 ઓક્ટોબર 2025ના રોજ રજૂ કરશે. આ સંદર્ભે આ અહેવાલને ફાઈનલાઈઝ કરતા પહેલાં રાજ્યોની મુલાકાત લઈને રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચા હાથ ધરવા કમિશનના સભ્યો ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@ 2047 ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની સજ્જતા અંગે તેમજ આ માટેના લક્ષ્યોને સિદ્ધ કરવા કેન્દ્ર સરકાર તરફથી ઉચિત સંસાધનો અને સહયોગની પ્રાપ્તિ અંગે આ બેઠકમાં રજૂઆત કરી.
ફાયનાન્સ કમિશન દ્વારા સંસાધનોની ફાળવણીમાં રાજ્યોનું દેશના જીડીપીમાં યોગદાન, રાજ્યોની નાણાકીય શિસ્ત અને તેમના પરફોર્મન્સ ઈન્ડિકેટર તેમજ રાજ્યોની પોતીકી જરૂરિયાતો જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવે તે અંગેના સુઝાવ આ બેઠક દરમિયાન આપ્યા.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ, ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામના.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય શ્રી અમિતભાઈના બાહોશ નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ અત્યંત મજબૂત બની છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી અભૂતપૂર્વ સુદૃઢતા સાથે થઈ રહી છે.
“સહકાર સે સમૃદ્ધિ”ના સૂત્ર સાથે દેશમાં સહકાર ક્ષેત્રનો કાયાકલ્પ થયો છે. ખેડૂતો, પશુપાલકો, મહિલાઓના જીવનમાં સહકાર ક્ષેત્રએ આર્થિક સમૃદ્ધિના અનેક દ્વાર ખોલી દીધા છે.
ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં પણ માનનીય શ્રી અમિતભાઈનું બહુમૂલ્ય માર્ગદર્શન સતત મળી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં તેમના નેતૃત્વમાં થયેલ વિકાસકામો તેમજ સ્વચ્છતા અને હરિયાળીના કાર્યોથી આ સમગ્ર વિસ્તાર ખીલી ઉઠ્યો છે.
ઈશ્વર આપશ્રીને સુદીર્ઘ, નિરામય અને યશસ્વી જીવન આપે તેવી કામના કરું છું.
#HBDayAmitShah@AmitShah
@Bhupendrapbjp માનનીય મુખ્યમંત્રીશ્રી પ્રા.શિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પ વહેલી તકે યોજવા નમ્ર વિનંતિ, કેમ કે ઘણાં શિક્ષકો અને દંપતિ આજે અલગ - અલગ જિલ્લામાં વર્ષોથી પોતાનાં વતનથી દૂરના વિસ્તારોમાં ફરજ બજાવે છે સરકારશ્રીના ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ મુજબ જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે યોજાય તેવી અપેક્ષા 🙏
ગુજરાતના શિક્ષણ જગત માટે આજનો દિવસ યાદગાર બની રહેશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારે લોન્ચ કરેલ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સહાય અંદાજે 11 લાખ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 116.42 કરોડ જેટલી શિષ્યવૃત્તિનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિતરણ કર્યું હતું.
માનનીય શ્રી અમિતભાઈએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ખૂબ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
છેલ્લા બે-અઢી દાયકામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનો કાયાકલ્પ થયો છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોથી નામાંકન દર સો ટકા જેટલો અને ડ્રોપ આઉટ દર બે ટકા જેટલો થયો છે.
હવે, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રાજ્યના વિદ્યાર્થીઓને, ખાસ કરીને દીકરીઓને, ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ ચાલુ રાખીને વિજ્ઞાન પ્રવાહમાં ભણવાનો ઉત્સાહ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો મને વિશ્વાસ છે.
@AmitShah