Info Narmada Gog

39.9K posts

Info Narmada Gog banner
Info Narmada Gog

Info Narmada Gog

@InfoNarmadaGoG

Twitter handle of District Information Office, Narmada, Government of Gujarat

Rajpipla Entrou em Eylül 2013
441 Seguindo2K Seguidores
Info Narmada Gog
Info Narmada Gog@InfoNarmadaGoG·
પ્રાકૃતિક ખેતીથી બદલાયું ભાવપૂરા ગામના ખેડૂત શ્રી અશોકભાઈ તડવીનું જીવન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના મોડેલ ફાર્મની મુલાકાતથી મળી નવી દિશા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને મિશ્ર પાક પદ્ધતિથી બન્યા સફળતાનું જીવંત ઉદાહરણ
Info Narmada Gog tweet mediaInfo Narmada Gog tweet media
GU
0
0
0
4
Info Narmada Gog
Info Narmada Gog@InfoNarmadaGoG·
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘની તિલકવાડા તાલુકા પંચાયતની આકસ્મિક મુલાકાત
Info Narmada Gog tweet media
GU
0
0
0
29
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી સારી એવી આવક પ્રાપ્ત કરતા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ ચકલાસીના ખેડૂત શૈલેષભાઈ વાઘેલા... ખેડૂત શૈલેષભાઈએ પ્રાકૃતિક પદ્ધતિથી દૂધી, કાકડી, રીંગણ અને બટાકાની ખેતી કરી છે; આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા લઈ તેઓ છેલ્લાં ચાર વર્ષથી સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે... સરકાર દ્વારા દેશી ગાય નિભાવ માટે ખેડૂતને પ્રતિ માસ રૂપિયા 900ની સહાય મળે છે; ખેડૂત શૈલેષભાઈ તમામ ખેત પેદાશોનું વેચાણ ચકલાસી ખેતી બજાર ખાતે કરે છે... આ ખૂબ જ ઉપજાઉ અને ઓછી ખર્ચાળ ખેતી છે કે જેમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે : ખેડૂત #Agriculture #NaturalFarming #GujaratGovernment
Gujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet media
GU
0
28
89
2.7K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે વન્યજીવોને હીટ-વેવથી બચાવવા 15 જમ્બો કૂલર્સ તેમજ 20 હાઈ-ટેક સ્પ્રીન્ક્લર્સ લગાવાયા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું... #IndrodaNaturePark #GujaratEcologicalEducationandResearch #GEERFoundation @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @arjunmodhwadia @pravinmalibjp @GujForestDept
GU
0
27
68
1.9K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
તા. 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ... તમાકુના સેવનથી થતાં સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને તમાકુના સેવનથી થતાં નુકસાન વિષે જણાવવાનો; તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. #worldnotobaccoday2026 #worldnotobaccoday
Gujarat Information tweet media
GU
1
13
37
928
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો લઈને આવેલા ખેડૂતો અને સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી તેના ત્વરિત નિવારણ માટે તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી... જાહેર રસ્તાઓ પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીશ્રીની પોલીસ તંત્રને સૂચના; રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરી માટે જિલ્લા તંત્રને દિશાનિર્દેશ આપ્યા... #SwagatOnline #Swagat #GujaratGovernment
Gujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet media
GU
3
21
73
3.3K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો... #AsianU20AthleticsChampionships2026 #RahulJakhar #Decathlon @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @InfoValsadGoG
GU
5
139
909
16.7K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન... 🔹 ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 15 જમ્બો કૂલર્સ, 20 હાઇ-ટેક સ્પ્રિન્ક્લર્સ તેમજ વિટામિન-યુક્ત આહારની વ્યવસ્થા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું... 🔹 વન્યજીવોના આવાસ, સર્પગૃહ, પક્ષી ગૃહમાં પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે; અબોલ જીવોની ત્વરિત સારવાર તેમજ નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાઈ... 🔹 ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે; સાથે જ મુક્ત વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશેષ વોટર પોઇન્ટ્સની વ્યવસ્થા... #IndrodaNaturePark #GujaratEcologicalEducationandResearch #GEERFoundation
Gujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet media
GU
0
26
111
2.8K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કચ્છની નવજાત બાળકીની ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની વિનામૂલ્યે સફળ સર્જરી, મળ્યું નવજીવન... સિવિલ હોસ્પિટલની અદ્યતન ટેક્નોલોજી, કુશળ ડૉક્ટર્સ તેમજ મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમવર્ક દ્વારા અત્યંત બારીકાઈપૂર્વકની આ સર્જરીમાં નાકનો બંધ માર્ગ દૂર કરી, સેપ્ટેક્ટોમી દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરાયો હતો; હાલ આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈપણ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે... ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલ્સ ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે : રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા #GujaratGovernment #AhmedabadCivilHospital #healthcare
Gujarat Information tweet media
GU
1
22
47
1.5K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
👥 35 લાખથી વધુ યુઝર્સ 🚖 6 લાખથી વધુ ડ્રાઇવર્સ 🌍 વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઑપરેટિવ બની भारत Taxi.... 'સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25%થી 30%નો વધારો; પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત... 10,000થી વધુ ડ્રાઇવર્સને મળી સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની ખાસ ટ્રેનિંગ; મુસાફરોની સેફ્ટી માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન... #BharatTaxi
Gujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet media
GU
2
46
168
7.4K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
ભવનાથનો મેળો કયા શહેરમાં યોજાય છે? કોમેન્ટમાં જણાવો... #Quiz #Quizoftheday
Gujarat Information tweet media
GU
6
18
46
1.9K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
વ્હીલચેર પર અડગ મનોબળ: દિવ્યાંગ યુવાનની આત્મનિર્ભરતાની પ્રેરણાદાયક સફર સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામના દિવ્યાંગ યુવક શ્રી દિવ્યેશ પટેલે શારીરિક મર્યાદાઓને પાર કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હાર માનવાને બદલે, માતા ગીતાબેનના સહયોગથી તેમણે પરંપરાગત ઈકો-ફ્રેન્ડલી 'પતરાળી' (બાજ) બનાવવાનો વ્યવસાય અપનાવી આત્મનિર્ભરતા મેળવવાની સાથે પરિવારને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું... રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ અને પર્યાવરણના જતન માટે સતત કાર્યરત છે, ત્યારે દિવ્યેશભાઈનું આ કાર્ય સરકારના વિવિધ અભિયાનોને સીધું સમર્થન પૂરું પાડે છે. દિવ્યેશ ભાઈ કહે છે કે મારી ઈચ્છા છે કે લોકો ફરીથી પતરાળીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણ પણ બચે અને અમારા જેવા પરિવારોને રોજગાર પણ મળે.. પતરાળીના વેચાણમાં ગામના અગ્રણીઓ અને શિક્ષકોનો મળ્યો સહકાર... #GujaratGovernment #Surat
Gujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet mediaGujarat Information tweet media
GU
0
28
111
4K
Info Narmada Gog retweetou
Gujarat Information
Gujarat Information@InfoGujarat·
સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ... બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી... વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાયરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3થી 4 દિવસમાં આવી જશે. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે... વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમનું કાર્યાલય જાતે સીધી દેખરેખ રાખી રહ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કાર્યાલય-PMO પણ આ ઘટના પર સતત નજર રાખીને રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. જ્યાં પણ જરૂર જણાય ત્યાં નિયમબદ્ધ રીતે પ્રિવેન્ટિવ વેક્સિનેશન સહિતના તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે... #GujaratGovernment
Gujarat Information tweet media
GU
1
24
65
2.2K
Info Narmada Gog
Info Narmada Gog@InfoNarmadaGoG·
નર્મદા કલેક્ટરશ્રી ગંગાસિંહે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી : દર્દી સેવાઓ અને આરોગ્ય વ્યવસ્થાની કરી વિસ્તૃત સમીક્ષા
Info Narmada Gog tweet media
GU
0
0
1
37