RTI Activists

4.9K posts

RTI Activists banner
RTI Activists

RTI Activists

@ActivistsRTI

Official Twitter Handle of Indian RTI Activists. (100% follow Back )

New Delhi, India Katılım Mart 2019
1.1K Takip Edilen1K Takipçiler
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
કેરળા સ્ટોરી 2 ના નિર્માતા વિપુલ શાહ કહે છે કે RSS એ કેરળા સ્ટોરીના નિર્માણને સમર્થન આપ્યું હતું. #VipulShah #keralastroy
GU
0
7
9
262
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
પોલીસ અધિકારીના વિદાય સમારંભનો ખર્ચ કોણ ઉપાડે છે? અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ. ડી. ચંપાવતની બદલી 31 માર્ચ 2026ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થતાં, તેમના વિદાય સન્માનનો એક વીડિયો મને એક મિત્રએ મોકલ્યો છે. તેમાં પોલીસ ઈન્સ્પેકટર પર પુષ્પવર્ષા થઈ રહી છે. અને પૂછયું છે કે “કોઈપણ અધિકારીની બદલી થાય તો આવું કરવું કેટલું ઉચિત?” પોલીસતંત્રમાં પુષ્પવર્ષાવાળા વિદાય સમારંભો યોજાતા હોય છે. માર્ચ 2026ના અંતમાં IPS અધિકારીઓની બદલીઓ થઈ. તેમાં રેન્જ IGP પણ બદલાયા. તેમના વિદાય સમારંભો યોજાયા હતા. આવા વિદાય સમારંભોમાં તાબાના અધિકારીઓ પ્રશસ્તિ કરતા હોય છે. ભલે પછી તેમના સમય દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ ન હોય/ ગુંડાઓ બેફામ બન્યા હોય/ લઠ્ઠાકાંડમાં 39 લોકોના મોત થયા હોય કે અન્ય શરમજનક ઘટનાઓ બની હોય. બદલી પામતા અધિકારીઓ વાહવાહી સાંભળીને ખુશ થતા હોય છે. વિદાય સાદગીભરી હોય, તે જરુરી છે. નાના પુષ્પગુચ્છ દ્વારા પણ સન્માનની લાગણી વ્યક્ત કરી શકાય છે. પુષ્પવર્ષા કરવાની જરુર નહીં. પોલીસ જેવા વિભાગમાં ટીમવર્કનું મહત્વ છે. તેથી ટીમ ભાવના વ્યક્ત થાય તો તેમાં કંઈ ખોટું નથી. પોલીસ અધિકારી ધાર્મિક નેતા કે ફિલ્મ કલાકાર નથી, તેથી તેમની વિદાયમાં બિનજરૂરી ખર્ચ કે દેખાડો ન હોવો જોઈએ. પોલીસ અધિકારી ઉપર સતત પુષ્પવર્ષા કરવી તે અનુચિત છે. પોલીસ અધિકારી સરકારી ‘સેવક’ છે, જેનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. બદલી એ તેમની નોકરીનો સામાન્ય ભાગ છે. જ્યારે સ્ટાફના માણસો કે સ્થાનિક લોકો તેમની પર પુષ્પવર્ષા કરે છે ત્યારે તે વધારે પડતી ચેષ્ટા કહેવાય. આ સામંતી (feudal) વ્યવસ્થાની યાદ અપાવે છે, જ્યાં રાજા, જમીનદાર અથવા અધિકારીને ‘પ્રજા’ દ્વારા આવા સન્માન આપવામાં આવતા હતા. ઘણી વખત આવા વિદાય કાર્યક્રમોમાં સ્થાનિક લોકો સામેલ હોય છે. તેની પાછળ ભવિષ્યમાં સુવિધા મેળવવાની અપેક્ષા અથવા પ્રભાવ વધારવાનો હેતુ હોઈ શકે છે. આ પોલીસ વ્યવસ્થાને ‘સેવા’ નહીં, પરંતુ ‘માલિક-નોકર’ અથવા ‘રાજા-પ્રજા’ના સંબંધ તરીકે મજબૂત કરે છે. એટલે જ આપણા પોલીસ અધિકારીઓ ‘રાજાપાઠ’માંથી બહાર નીકળતા નથી. ભવ્ય પુષ્પવર્ષા/ મોટા કાર્યક્રમો/ બેનરો અને મીડિયા કવરેજ સાથેનું સન્માન વધુપડતું અને ‘સામંતી’ છે. આવા કિસ્સાઓમાં તે વ્યક્તિગત સન્માનની સીમા વટાવીને ‘સત્તાનું પ્રદર્શન’ બની જાય છે. ઉત્કૃષ્ટ કામની કદર પ્રશસ્તિપત્ર આપીને થઈ શકે. તે માટે પુષ્પવર્ષાની જરુર નહીં. સરકાર અને પોલીસ વિભાગે આવા બાહ્ય પ્રદર્શનોને નિરુત્સાહિત કરવા જોઈએ, કારણ કે તે પોલીસને ‘લોકસેવક’ નહીં, પરંતુ ‘લોકપ્રિય અધિકારી’ બનવા તરફ લઈ જાય છે. વિદાય સમારંભ સામંતી વ્યવહાર અને ચાપલુસીનું પ્રતીક બનવા ન જોઈએ. તે પોલીસ-નાગરિક સંબંધને સ્વસ્થ નહીં, પરંતુ તાબેદાર અને અસમાન બનાવે છે. સારા અધિકારીનું સન્માન તેમના કામમાં હોવું જોઈએ, પુષ્પવર્ષામાં નહીં. 1857ના વિદ્રોહ પછી અંગ્રેજોએ Indian Police Act 1861 બનાવ્યો, તેનો હેતુ લોકો પર કાબૂ રાખવાનો હતો, લોકોની સેવાનો ન હતો. ઉપરી અધિકારીઓ (મોટેભાગે યુરોપિયન)ને ‘માસ્ટર’ અને નીચલા રેન્ક (ભારતીય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ)ને ‘સર્વન્ટ’ તરીકે જોવામાં આવતા. આ રેશિયલ અને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર આજે પણ ચાલુ છે; IPS અધિકારીઓ અને સ્ટેટ સર્વિસ વચ્ચે, તેમજ અધિકારી અને જવાન વચ્ચે. સામંતી પ્રથામાં ‘ઉપરીને ખુશ કરવાની’ માનસિકતા વિકસે છે. તાબાના માણસો ઉત્સાહપૂર્વક પુષ્પવર્ષામાં જોડાઈ જાય છે. ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક/ નિયમો, 1971ના નિયમ-14 મુજબ આદર સત્કાર સમારંભ સાદો અને કરકસરભર્યો હોવો જોઈએ. વાસ્તવિકતા તો એ છે કે પુષ્પવર્ષાનો ખર્ચ મોટાભાગે બુટલેગર કે અસામાજિક પ્રવૃત્તિ કરનારના માથે જ હોય છે! (C) @RameshSavani10
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
16
25
196
26.3K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
સરકારની સ્પષ્ટતા “સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નથી" કહ્યું: હવે આગળ તમારી મરજી. સાધારણ લોકોને કઈ રીતે હેરાન પરેશાન કરી નિચોડી લેવાઈ તેના પર આ સરકાર Ph.d કરી રહી છે. #SmartMeter #GEB
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
16
50
188
8.5K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
‘મહિલાને સજા : જાહેરમાં છેડતી/ બળાત્કાર!’ બિહારના નાલંદા જિલ્લામાં નૂરસરાય (નોરસરાય) પોલીસ સ્ટેશન વિસ્તારના અજયપુર ગામમાં 26 માર્ચ 2026ના રોજ સાંજે શરમજનક ઘટના બની. એક 20 વર્ષની વિવાહિત મહિલા (બે-ત્રણ બાળકોની માતા) કરિયાણાની દુકાનેથી ઘરે પરત આવતી હતી ત્યારે ત્રણ યુવકોએ (આશોક યાદવ, મહાલુ/મતલુ મહતો/ રવિકાંત કુમાર) તેને પકડી લીધી. ત્રણેયે તેને જમીન પર પછાડી દીધી. મહાલુ મહતોએ તેની છાતી પર હાથ નાખ્યો અને જબરદસ્તી કરવા લાગ્યો. તેના કપડાં ફાડી નાખ્યા, અર્ધ-નગ્ન અવસ્થામાં રસ્તા પર ઘસીને ફેરવી-પેરેડ કરાવી, અને ગેંગ-રેપનો પ્રયાસ કર્યો. તેમણે આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મહિલાએ ચીસો પાડી ત્યારે ગામવાસીઓ ભેગા થયા અને તેને બચાવી. આરોપીએ આવું કેમ કર્યું? આ ત્રણેય આરોપીઓ સ્વઘોષિત ‘સંસ્કૃતિ પોલીસ’ હતા! ત્રણેય માનતા હતા કે આ મહિલાને પરપુરુષ સાથે અફેર છે. મહિલા મોબાઈલ રિપેર કરાવવા ગઈ હતી ત્યારે કોઈ ટેક્નિશિયન સાથે જોવા મળી હતી. ખલાસ! સજા કરવી પડે! સ્થાનિક ‘ગુંડા-પોલીસે’ તેને નજરમાં રાખી હતી અને આ તક મળતાં સજા કરવા તેની ‘ઇજ્જત લૂંટવા’નો પ્રયાસ કર્યો. આ આરોપીઓના ગળામાં ભગવો ગમચો હતો. ગળામાં ભગવા સ્કાર્ફ પહેરીને, તેઓ પોતાને હિન્દુ અને ધાર્મિક બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સત્ય એ છે કે ધાર્મિકતા તેમના કપડાંના રંગથી નહીં પરંતુ તેમના આચરણથી વ્યક્ત થતી હોય છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે 27 માર્ચે FIR નોંધી. આશોક યાદવ અને મતલુ મહતોની અટકાયત કરી; રવિકાંત હજુ ફરાર છે. આવી ઘટનાઓ પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શું છે? [1] યૌન અધિકારભાવ (sexual entitlement): કેટલાક પુરુષો મહિલાઓને ‘વસ્તુ’ માને છે અને જાહેરમાં પણ તેમના પર કાબૂ મેળવવાનો આનંદ મેળવે છે. [2] મોબ મેન્ટાલિટી (deindividuation): જૂથમાં હોવાથી વ્યક્તિગત જવાબદારી ઓછી થાય છે અને અસંયમી વર્તન વધે છે. [3] નિરાશા-આક્રોશ (frustration- aggression): બેરોજગારી, આર્થિક તણાવ અથવા વ્યક્તિગત નિષ્ફળતા યૌન હિંસા તરફ વાળે છે. [4] મોરલ પોલિસિંગ: અફેરની શંકામાં મહિલાને ‘સજા’ આપવાના નામે યૌન શોષણ. આમાં પાવર અને કંટ્રોલની ભૂખ હોય છે. આવી ઘટનાઓ પાછળના સામાજિક કારણો શું હોય છે? [1] પિતૃસત્તાક વ્યવસ્થા. મહિલાઓને હજુ પણ ‘સંપત્તિ’ તરીકે જોવામાં આવે છે. શિક્ષણ અને જાગૃતિની અછત. [2] બાયસ્ટેન્ડર ઇફેક્ટ: ઘણી વાર લોકો જુએ છે પણ રોકતા નથી. અહીં કેટલાકે બચાવી તો કેટલાકે મોબાઈલ ભાગ લીધો. [3] કાયદાની અમલવારીની કમજોરી અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ: વીડિયો બનાવીને વાયરલ કરવું ‘ટ્રોફી’ જેવું બની ગયું છે. બિહારના ઘણા ગામડામાં જાતિવાદ અને સ્થાનિક ‘દબંગો’નું વર્ચસ્વ છે. આવી ઘટનાઓ પાછળના રાજકીય કારણો શું છે? [1] કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા: મહિલાઓની સુરક્ષા પર સરકાર નિષ્ફળ છે. [2] બિહારમાં વિકાસ, રોજગાર અને શિક્ષણની કમીને કારણે સામાજિક અસંતોષ વધે છે, જે અપરાધ તરફ દોરી જાય છે. પોલીસ-પ્રશાસનમાં કેટલીક વાર સ્થાનિક અસર-દબાવ અને વિલંબ જોવા મળે છે. આ ઘટના અત્યંત નિંદનીય છે અને મહિલા સુરક્ષા, જાગૃતિ તેમજ કડક કાયદાકીય કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે. 2012 માં નિર્ભયાને ન્યાય અપાવવા લોકોએ દિલ્હી અને આખા દેશમાં ઊહાપોહ કર્યો હતો. પણ છેલ્લા 12 વર્ષમાં બનેલ ડઝનબંધ બળાત્કાર/નગ્ન પરેડ/ ધાર્મિકસ્થળે યૌન શોષણ, જાણે સાવ નોર્મલ બની ગયું છે. ગમે એવી જઘન્ય ઘટના બને સમાજને કોઈ અસર જ થતી નથી! દોષિત બળાત્કારીઓ પેરોલ પર છૂટી ઉપદેશો આપે છે, રામમંદિરમાં તેમનું સ્વાગત થાય છે. બળાત્કારીઓને વહેલા જેલ મુક્ત કરવામાં આવે છે. બળાત્કારીઓના સમર્થનમાં રેલીઓ નીકળે છે. બળાત્કારીઓનું જાહેરમાં સન્માન થાય છે! યૌન શોષણખોર સતામાં છે. મૌન રહેનાર પણ આ શરમજનક ઘટના માટે જવાબદાર છે! [1 એપ્રિલ 2026] (C) @RameshSavani10
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
0
11
20
604
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
સહકારી બેંકમાં એકહથ્થુ શાસન ની સભાસદો અને બેંકને થવા પાત્ર નુકશાન અંગે જાણીને પછી વોટ આપજો. #VarachhaBank #Election
GU
0
10
17
359
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
સહકારી બેંકમાં એકહથ્થુ શાસન ની સભાસદો અને બેંકને થવા પાત્ર નુકશાન અંગે જાણીને પછી વોટ આપજો. youtu.be/jI8IlStA3tk?si…
YouTube video
YouTube
GU
0
7
10
335
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
@nitin_gadkari जी @MukeshMohannn शायद आपको 50 करोड़ रुपये नहीं दे पाएंगे, लेकिन आप एक काम कर सकते हैं, आप मुकेश के अंगों जैसे किडनी, लिवर, आंखें, दिल वगैरह को बेचकर अपना मकसद पूरा कर सकते हैं। वैसे भी आपको बीफ बेचने का बहुत बड़ा अनुभव है।
Mukesh Mohan@MukeshMohannn

मैं यहाँ से आता हूँ। यह मेरे घर का सबसे बेस्ट कोना है। मेरे पास न कुछ खोने को है और न ही मेरी कुछ पाने की ईच्छा। मतलब एकदम फकड़ फ़क़ीर। आप मुझे गोली मार सकते हैं लेकिन आप मुझे चुप नहीं करवा सकते हैं।

हिन्दी
1
9
15
291
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
પેટ્રોલ નાખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે! રાજકોટના સુરેશ વડૈચાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા સામે ગંભીર આરોપ મૂક્યો છે. કે “DCP બાંગરવાએ એક બિલ્ડરની ફરિયાદના આધારે મને પોલીસ સ્ટેશન/ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને મારા કપડાં કાઢાવી નાખ્યા. તેમણે મને પટ્ટાથી બહુ માર માર્યો, મારા પગે ફેક્ચર કરી નાખ્યું, મારી ગુદામાં પેટ્રોલ નાખ્યું!” સુરેશ વડૈચા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તે પત્રકાર તરીકે કામ કરે છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હોસ્પિટલમાં સુરેશની મુલાકાત લીધી તેનો વીડિયો જિગ્નેશ મેવાણીએ ‘X’ પર મૂક્યો છે. (કોમેન્ટમાં મૂક્યો છે) જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને 27 માર્ચ 2026ના રોજ પત્ર લખી DCP જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી, ધરપકડ કરી, નોકરીમાંથી ડિસમિસ કરવાની માંગણી કરી છે. થોડા મુદ્દાઓ: [1] શું સુરેશે કોઈ આતંકી કૃત્ય કર્યું હતું? બળાત્કાર કર્યો હતો? હત્યા કરી હતી? કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી? તેની સામે ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ થયેલ? ના, સુરેશ સામે CrPC કલમ-151 હેઠળ સારી ચાલચલગત માટે બાંહેધરી ધરી લેવાનો ચેપ્ટર કેસ હતો, જેમાં સુરેશ માત્ર સામાવાળા તરીકે હતો, આરોપી ન હતો. [2] સુરેશ પર થયેલ અત્યાચાર સાચા માનીએ તો સુરેશ કોઈ ગંભીર ગુનાનો આરોપી ન હતો, છતાં પોલીસે શા માટે મર્યાદા બહાર જઈને, સુરેશ પર અત્યાચાર કર્યો? ગંભીર ગુનો કર્યો હોય તો પણ પોલીસ આવી બર્બરતા કરી શકે નહી. સજા કરવાનું કામ પોલીસનું નથી, કોર્ટનું છે. કોર્ટ વધુમાં વધુ ફાંસીની સજા કરી શકે. પેટ્રોલ નાખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે! [3] પોલીસ આવો અત્યાચાર આર્થિક/ સામાજિક/ રાજકીય/ ધાર્મિક આરોપી સામે ક્યારેય કરતી નથી. ગરીબ/ લાચાર/ નબળા વર્ગના લોકો સાથે જ આવું અમાનવીય અને ઘૃણાસ્પદ વર્તન કરે છે, કેમ? સુરેશ કોળી સમુદાયનો છે. [4] જિગ્નેશ મેવાણીએ, આ ઘટના અંગે તાત્કાલિક તપાસ કરવા રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવને વિનંતી કરી છે. 30 વરસ પહેલાં રાવ રાજકોટમાં DCP હતા ત્યારે તેમણે બર્બરતા આચરી હતી. 1996-97માં રાવે નાના ગુનાના 7 આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની આંખોમાં ‘ટાઈગર બામ’ (Tiger Balm, માથાના દુખાવા માટે વપરાતો મલમ) આંઝી દીધું હતું, જેથી સાતેય આરોપીઓની દષ્ટિ જતી રહી હતી!ફોરેન્સિક ટેસ્ટિંગમાં પણ ટાઈગર બામનો ઉપયોગ સાબિત થયો હતો. આ બાબતે રાષ્ટ્રીય સ્તરે ઊહાપોહ થયો હતો. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) અને સંસદમાં પણ તેની ચર્ચા થઈ હતી. એ સમયે 9 કોન્સ્ટેબલ્સને સસ્પેન્ડ કરેલ પણ પાછળથી તેમને ફરજ પર લઈ લીધા હતા. દ્રષ્ટિ ગૂમાવનારને કોઈ વળતર હજુ સુધી અપાયું નથી. શું પોલીસ વડા રાવ DCP જગદીશ બાંગરવા સામે તપાસ કરાવશે, એવી આશા રાખી શકાય? ‘આવ ભાઈ હરખા, આપણે બેઉં સરખા’ અને ‘કાથરોટ કૂંડાને હસે’ જેવી ગુજરાત પોલીસની સ્થિતિ છે. [5] આવી બર્બરતા બ્રિટિશ શાસનકાળ દરમિયાન પણ દેશમાં નહોતી. જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી છે/ પોલીસ કમિશનરની જવાબદારી છે કે તેમના તાબાના કોઈ પોલીસ અધિકારી બર્બરતા દાખવે તો તેની તાત્કાલિક તપાસ કરવી/ મેડિકલ એવિડન્સ એકત્ર કરાવવા. પરંતુ આ કિસ્સામાં એવું બન્યું નથી. સુરેશના આરોપ અંગે પોલીસ તરફથી સ્પષ્ટતા થઈ નથી. [6] પોલીસ અત્યારની અનેક ઘટનાઓ છતાં સરકાર તે અંગે પગલાં લેતી નાથી. ગુજરાત પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી, ગાંધીનગર ખાતે છે પરંતુ તે માત્ર દેખાડા પૂરતી છે. ફરિયાદો પુષ્કળ છે, વસ્તીના ભારણને કારણે માનવ અધિકારો અર્થહીન બની ગયા છે. ભીડભાડવાળી અદાલતો ન્યાય આપતી નથી, ન્યાય મેળવવો ખૂબ ખર્ચાળ છે. સમય અને નાણા પુષ્કળ હોય તો જ ન્યાય મળે છે. ગરીબો/ લાચારીને ન્યાય મળતો નથી. સત્તાપક્ષનો OBC મોરચો પણ ચૂપ છે! OBC નેતાઓ ચુંટણી સભાઓમાં ગરીબોની વાત કરે ત્યારે સમજવું કે તે હળાહળ જૂઠું બોલે છે! [27 માર્ચ 2026] (c) @RameshSavani10
Sanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet media
GU
13
76
351
32K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
(2/2) છેલ્લા કેટલાંક વર્ષોથી 2-3 ઉદ્યોગકારોની આંતરિક સમજુતીથી ડિરેક્ટરો નક્કી કરી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન થતું હોવાની ચર્ચા છે. બેંક દ્વારા ચોક્કસ બિલ્ડરોને વારંવાર મોટી પ્રોજેક્ટ લોન આપવામાં આવે છે એવી પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક ડિરેક્ટરો દ્વારા બેંકનો અંગત હિત માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પણ થાય છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન અટકાવવા માટે કેટલાક કર્મચારીઓ પણ પ્રયત્નશીલ હોવાનું જણાય છે. “પરિવર્તન પેનલ”ના ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે, જે સહકારી લોકશાહીને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. આથી, દરેક સભાસદે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય અને લાયક ઉમેદવારને પસંદ કરવો જોઈએ, જેથી બેંકમાં સાચું પરિવર્તન, વિકાસ અને વિશ્વાસ સ્થાપિત થઈ શકે. "તમારો મત – તમારી બેંકનું ભવિષ્ય નક્કી કરે છે." *મોતીના હાર* ચૂંટણી 🗳️ ચિહ્ન ને મત આપી અપાવી વિજય બનાવો. — સંજય ઇઝાવા (સામાજિક કાર્યકર્તા) @thevarachhabank #TheVarachhaBank #Election
GU
0
8
15
723
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
ધી વરાછા કો-ઓપ. બેંક લિ. માં પરિવર્તન કેમ જરૂરી છે.? The Varachha Co-Operative Bank Ltd. માં છેલ્લા ૩૧ વર્ષથી ચૂંટણી વિના કહેવાતા આગેવાનો દ્વારા પોતાની અંગત વ્યક્તિઓની પસંદગી પ્રક્રિયા દ્વારા ડિરેક્ટરોની નિમણૂંક થતી આવી છે. આ વખતે કુલ 15 પૈકી 3 ડિરેક્ટરો (લેડીસ અને એસ.સી./એસ.ટી. અનામત સીટ) બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. બાકી રહેલી 12 ખાલી જગ્યાઓ માટે સમાજના 3 અગ્રણીઓ પોતાની-પોતાની કઠપૂતળીઓ ઉભી રાખી ડિરેક્ટર બનાવી બેંકમાં સત્તા જાળવી રાખવા પ્રયત્નશીલ હતા, ત્યારે “પરિવર્તન પેનલ” નામથી નવા 6 ઉમેદવારો મેદાને ઉતરી સૌને ચોંકાવી દીધા છે. આ પરિસ્થિતિમાં બેંકના 🏦 સભાસદો માટે પોતાનો મતાધિકાર ઉપયોગ કરીને નવા ડિરેક્ટરો પસંદ કરવા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સહકારી સંસ્થાનો મૂળ આધાર “સભાસદોની માલિકી અને લોકશાહી વ્યવસ્થા” છે. જ્યારે ચૂંટણી વગર નિમણૂંક થાય છે, ત્યારે જવાબદારી અને પારદર્શિતા ઓછી થવાની શક્યતા રહે છે. ચૂંટણી દ્વારા પસંદ થયેલા ડિરેક્ટરો સીધા સભાસદો સામે જવાબદાર રહે છે, જે સંસ્થાના સ્વસ્થ વિકાસ માટે અત્યંત જરૂરી છે. નવા ડિરેક્ટરોની પસંદગી થવાથી બેંકના સંચાલનમાં નવા વિચારો દરેક કર્મચારીઓ ને નવી ઊર્જા આવશે, પારદર્શિતા અને જવાબદારી વધશે, સભાસદોના હિતને પ્રાથમિકતા મળશે અને લાંબા સમયથી ચાલતી એકપક્ષીય પ્રણાલીનો અંત આવશે. છેલ્લા 31 વર્ષથી એકબીજાની પસંદગીના લોકો ને ડિરેક્ટર પદ પર બેસાડી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં અગાઉના ડિરેક્ટરોની કારગતીઓ બહાર લાવવા માટે નવા અને યુવા ડિરેક્ટરોનું ચૂંટાઈને આવવું ખૂબ જરૂરી છે. એકહથ્થું શાસન લાંબા સમય સુધી ચાલે ત્યારે અંતે ખાતેદારો અને સભાસદોને નુકસાન જ થાય છે. અમુક ઉદાહરણો નીચે મુજબ છે: 1). Suryapur Co-operative Bank માં અંદાજે ₹44 કરોડનું લોન કૌભાંડ બહાર આવ્યું હતું. ડિરેક્ટરો અને અધિકારીઓએ ગેરરીતે લોન આપી અને રિકવરી ન થતાં બેંક લિક્વિડેશનમાં ગઈ અને હજારો ડિપોઝિટરોના પૈસા ફસાયા. 2). Mehsana Urban Co-operative Bank ની સુરત બ્રાંચમાં અંદાજે ₹4 કરોડની ગેરરીતે રકમ ઉપાડવામાં આવી હતી. કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણીથી નકલી એન્ટ્રીઓ અને ગેરકાયદેસર વિથડ્રૉલ થયા. 3). Surat People’s Cooperative Bank પર RBI દ્વારા દંડ લગાવવામાં આવ્યો. મોટી લોનની માહિતી સમયસર રિપોર્ટ ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી, જે બેંકના ગવર્નન્સ અને કંટ્રોલ સિસ્ટમ નબળા હોવાનો સંકેત આપે છે. 4). Mehsana Urban Co-operative Bank Ltd. માં ₹64 કરોડનું લોન કૌભાંડ થયું હતું. બેંકના પૂર્વ CEO અને ડેવલપરો વચ્ચે સાંઠગાંઠથી ખોટા દસ્તાવેજો અને વેલ્યુએશન રિપોર્ટના આધારે લોન મંજૂર કરવામાં આવી અને રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. લાંબા સમયથી ચાલતા એકહથ્થા શાસનનું આ પરિણામ છે. 5). Kutch District Central Cooperative Bank Ltd. માં ₹35 કરોડનું ફેક લોન કૌભાંડ બહાર આવ્યું. નકલી સહકારી સંસ્થાઓ બનાવી ડમી સભ્યોના નામે લોન લઈ રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. નવા ડિરેક્ટરો આવ્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું. 6). Junagadh District Cooperative Bank Ltd. માં ₹2.57 કરોડનું કૃષિ લોન કૌભાંડ બહાર આવ્યું. ડિરેક્ટરો અને મેનેજરોએ મર્યાદા કરતાં વધુ લોન આપી અને કેટલાક કેસોમાં મંજૂરી વગર જ લોન આપવામાં આવી. લાંબા સમયથી ચાલતી મળતાવળનું આ પરિણામ છે. 7). Gujarat State Employees Co-operative Bank Ltd. માં ₹10 કરોડનું ગેરવહીવટ બહાર આવ્યું, જે ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું. શું વરાછા બેંકમાં ફોરેન્સિક ઓડિટ થયું છે? 8). બેંક એકાઉન્ટનો દુરૂપયોગ કરી Money Laundering / Cyber Routing જેવા કિસ્સાઓ પણ સામે આવે છે. સુરતમાં ₹1550 કરોડ સુધીના સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સ્વતંત્ર અને જવાબદાર ડિરેક્ટરો જરૂરી છે. 9). ઘણા બેંકોમાં મેનેજમેન્ટ લેવલ પર ગેરરીતિઓ થાય છે. કેટલીક સહકારી બેંકોમાં ડિરેક્ટરો/મેનેજમેન્ટ પોતાના સંબંધિત લોકોને ગેરરીતે લોન મંજૂર કરી ફાયદો આપે છે, જે બેંકની વિશ્વસનીયતા માટે ખતરનાક છે. 10). Diamond Jubilee Co-operative Bank Ltd. (સુરત) ફળચામાં જવાની પાછળનું મુખ્ય કારણ એ હતું કે યોગ્ય મિલકતની સુરક્ષા (જામીન) વગર ઓળખાણ ધરાવતા લોકો તથા એક રાજકીય નેતાને મોટી રકમની લોન મંજૂર કરવામાં આવી. ઓળખાણના કારણે સમયસર વસૂલાત પણ થઈ શકી નહોતી. લાંબા સમય સુધી એક જ ચહેરા અથવા ડિરેક્ટરો સત્તામાં રહેતાં હોય ત્યારે આવી ઘટનાઓ કોઈપણ સહકારી બેંકમાં બનવાની શક્યતા વધી જાય છે. હાલમાં વરાછા બેંકમાં કોઈ મોટી ગેરરીતિ જાહેરમાં સામે આવી નથી. પરંતુ… (1/2)
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
3
12
43
6.1K
RTI Activists retweetledi
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પોલીસ સ્ટેશન બહાર કંઈક આવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમે જોયું કે નહી?
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
4
42
183
4.4K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
લ્યો બોલો... કુતરા કૌભાંડ પછી હવે ઉંદર... ગુજરાતના ઉંદર ડ્રગ્સ લેતા થઈ ગયાં! : 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ; અમુક ચોરી થયો, કેટલોક ઉંદર ખાઈ ગયાઃ - ગુજરાત પોલીસ.
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
22
32
108
2.4K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની અછત નથી થવા દેતા, તો પછી પેટ્રોલબંધી થોડી છે કે અછત થવા દેશે.
Sanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet media
GU
1
11
50
3.5K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
રોગિકલ્યાણ સમિતિ દ્વારા હેલ્થ પરમિટ ( દવાનાં રૂપે દારૂ પીવા અંગે પરમીટ ) માટે વસૂલી કરી રહેલ રૂ. ૨૫૦૦૦/- તદ્દન ખોટા છે. કારણકે સિવિલ હોસ્પિટલ માં થતી તબીબી તપાસ પેટે રૂ. ૨૦૦૦/- નશાબંધી અધિક્ષકની કચેરીમાં જમા કાર્ય પછી આ તપાસ માટે ફોર્મ મેડિકલ બોર્ડ એટલે કે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો પછી રોગિકલ્યાણ સમિતિના નામે રૂ.૨૫૦૦૦/- ડોનેશન શાના માટે ઉઘરાવો છો ? શું મંત્રી શ્રી આ સવાલનો જવાબ આપશે ? @prafulpbjp @sanghaviharsh
GU
0
8
17
565
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
बस अब यही बाक़ी रह गया था! निर्वाचन आयोग का कामकाज भाजपा कार्यालय से हो रहा है इसका ताजा उदाहरण।
Sanjay Ezhava 🇮🇳 tweet media
हिन्दी
1
14
38
689
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
આ ભાઈ કોઈને કશે પણ મળી આવે તો કેજો, ઇનામ આપીશું.
GU
20
40
173
15.5K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
મોદી સરકાર કેમ નથી ઇચ્છતી કે તમે આ વિડિઓ જુએ!!!
GU
0
11
21
378
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
૨ વર્ષથી દબાવી રાખેલ સોગંધનામુ આખરે બહાર લાવ્યા. ૨૦૨૪-સુરત લોકસભા ચુંટણીમાં ૧૭.૬૭ લાખ મતદાતાઓનો મતાધિકાર છીનવી લેનાર તમામ આરોપીયોના નામ બહાર આવ્યા. સુરત શહેરના જાગૃત નાગરિક અને સમાજસેવી શ્રી સંજય ઇઝાવા દ્વારા આજે સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી, જીલ્લા કલેક્ટરશ્રી (જીલ્લા ચુંટણી અધિકારી), રાજ્ય ચુંટણી કમિશ્નર ને લેખિત અરજી આપી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન 24-સુરત લોકસભા મતવિસ્તારમાં થયેલા ગંભીર ચૂંટણી પ્રકરણ અંગે FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન શ્રી નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી ને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા 24-સુરત લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી આપવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા તા. 18-04-2024 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના નામાંકન ફોર્મ અને સોગંદનામા સાથે ત્રણ સેટ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રમાં શ્રી ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા, શ્રી જગદીશ નાનજીભાઈ સાવલિયા અને શ્રી પોલરા રમેશભાઈ બબચંદભાઈ દ્વારા પ્રોપોઝર (દરખાસ મુકનાર) તરીકે સહી કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તા. 20-04-2024 ના રોજ આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા સોગંદનામું આપી જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ઉમેદવારને ટેકો આપતા પ્રોપોઝર તરીકે કોઈ સહી કરી નથી અને તેઓ ક્યારેય કલેક્ટર સમક્ષ હાજર રહ્યા નથી. આ સોગંદનામાના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તા. 21-04-2024 ના રોજ ઉમેદવારનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. પરિણામે અન્ય તમામ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા અથવા રદ થતા શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અરજદારના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણને કારણે 24-સુરત લોકસભા મતવિસ્તારના આશરે 17,67,377 મતદારોને પોતાના મતાધિકારથી વંચિત થવું પડ્યું, જે ભારતના બંધારણીય અધિકારનું ગંભીર હનન ગણાય છે. તા. 20-04-2024 ના રોજ આ ત્રણેય વ્યક્તિઓ શ્રી ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા, શ્રી જગદીશ નાનજીભાઈ સાવલિયા અને શ્રી પોલરા રમેશભાઈ બબચંદભાઈ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂકરવામાં આવેલ સોગંદનામામા એક બીજાએ જ સાક્ષી તરીકે સહી કરી છે. આ ત્રણેય વ્યક્તિઓ એ ઉમેદવાર નિલેશ કુંભાણીને ટેકો જાહેર કરી ઉમેદવારી પત્રમાં સહી ના કરી હોઈ તો ખોટી સહીનો ઉપયોગ કરવા બદલ નિલેશ કુંભાણી સામે આ ત્રણેયમાંથી એક પણ વ્યક્તિ FIR કેમ નથી નોંધાવી તે ખુબ મોટો સવાલ છે. હાલમાં પણ આ ત્રણેય વ્યક્તિ નિલેશ કુંભાણીની આજુબાજુ જોવા મળે છે. શું આ ચારે વ્યક્તિ કોંગ્રેસ પક્ષ સામે બદલો લેવા માટે 17.67 લાખ મતદાતાઓ સાથે આટલો મોટો વિશ્વાસ ઘાટ કરી શકે? શું આ પ્રકરણમાં મોટા પાયે હોર્સ ટ્રેડિંગ જેવી ઘટનાઓ બની છે ? સુરત કલેક્ટર કચેરી દ્વારા ઉમેદવારનું બન્ને ફોર્મ અને ત્રણેય વ્યક્તિઓ દ્વારા તા. 20-04-2024 ના રોજ રજુ કરવામાં આવેલ સોગંધનામુ જાહેર કેમ નથી કર્યું ? કોના દબાણ હેઠળ આ દસ્તાવેજો ગુપ્ત રાખવામાં આવેલ છે ? આ દસ્તાવેજો ગુપ્ત શ્રેણીમાં નથી આવતાં છતાં RTI હેઠળ ગુજરાત માહિતી આયોગના હુકમ ન થયો ત્યાં સુધી આ માહિતી અરજદાર સંજય ઇઝાવાને કેમ ના આપી ? આ પ્રકરણ માં તંત્રનો શું ભાગ છે ? સુરતમાં લોકશાહીની હત્યા કરનાર આ સવાલોના જવાબ આવનાર દિવસોમા આપવા જ પડશે. અરજીમાં નીચે મુજબના મુદ્દાઓની પોલીસ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે: 1. ઉમેદવારી પત્રમાં પ્રોપોઝર તરીકે દર્શાવાયેલ ત્રણેય વ્યક્તિઓની સહી સાચી છે કે ખોટી તેની ફોરેન્સિક તપાસ કરવી. 2. નોટરી સમક્ષ “Before Me” હેઠળ થયેલી સહીની સત્યતા તપાસવી. 3. તા. 20-04-2024 ના રોજ રજૂ થયેલા સોગંદનામામાં દર્શાવાયેલ સહીની સત્યતા તપાસવી. 4. 18-04-2024 અને 20-04-2024 ની સહીમાંથી કઈ સહી સાચી છે તેની વૈજ્ઞાનિક તપાસ કરવી. 5. ઉમેદવારી ફોર્મ રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી દ્વારા પ્રોપોઝરની ઓળખ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવી. અરજીમાં જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિએ ખોટી સહી, બનાવટી દસ્તાવેજ અથવા ખોટું સોગંદનામું આપ્યું હોય તો તે સામે Indian Penal Code ની કલમ 191, 192, 193, 200, 464, 465, 468, 471 અને 120(B) તેમજ Representation of the People Act, 1951 ની કલમ 125A હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. શ્રી સંજય ઇઝાવા દ્વારા સુરત પોલીસ કમિશ્નરશ્રીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને સંડોવાયેલા તમામ લોકો સામે FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. #NileshKumbhani #MukeshDallal #Election2024 #Surat
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
6
32
88
6.8K
RTI Activists retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
આ શુભ કામ ક્યારે થશે.? યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ RSS પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. કમિશને કહ્યું કે તે "અસંમત" લોકોને ભયમાં જીવવા માટે પ્રેરિત કરી રહ્યું છે.
Sanjay Ezhava 🇮🇳 tweet media
GU
2
8
16
260