

DAOMorbi
1.2K posts

@DaoMorbi
District Agriculture Officer, Morbi
















જ્યારે જ્યારે ખેડૂતો પર પ્રકૃતિક આપદા વરસી છે, ત્યારે ત્યારે ગુજરાત સરકાર તેમની પડખે ઉભી રહી છે. રાજ્યમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રોની પડખે ઉભા રહી જાહેર કર્યું આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ. આ ઉપરાંત, કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોના મહામુલા પાક અને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.


ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.





























