OBC ને ગુજરાત ની તમામ સરકારી ભરતી માં હાલ અન્યાય થઈ રહ્યો છે ટેટ 1 ભરતી માં OBC સમાજ નો 27%બંધારણીય અધિકાર છે એ OBC ને મળે એ હેતુ ગુજરાત સરકાર માં મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબ ને રૂબરૂ મળી ને આ અંગે રજૂઆત કરવામાં કરવા માં આવી
"શિક્ષણ વિભાગને શિક્ષણ આપવાની જરૂર!"
શિક્ષણ વિભાગનું 'અશિક્ષિત' વલણ : અને એનો ભોગ બને છે વર્ષો સુધી મહેનત કરનાર યુવાન પરીક્ષાર્થી.🧐
🤔શું ન્યાય માટે હવે માત્ર કોર્ટ અને આંદોલન જ વિકલ્પ ?🤔
કહેવાય છે કે શિક્ષણ એ સમાજની આંખ છે, પણ હાલમાં ગુજરાતનું શિક્ષણ વિભાગ અને ભરતી બોર્ડ જાણે '#મોતિયા'ના ઓપરેશનની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લેવાયેલી TET-1 ની પરીક્ષામાં જે રીતે આન્સર કીના છબરડા સામે આવ્યા છે, તે જોતા પ્રશ્ન થાય છે કે પેપર કાઢનારા નિષ્ણાતો છે કે પછી માત્ર '#કોપી_પેસ્ટ'ના કલાકારો?
📌આન્સર કી કે અન્યાયની કી ? તે જ સમજાતું નથી...
સરકારી પુસ્તકો, GCERT NCERTના મોડ્યુલ અને અધિકૃત વેબસાઈટના પુરાવા હોવા છતાં જો શિક્ષણ વિભાગ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય, તો તે તેની ગરિમાને શોભતું નથી.
📌ભાષાકીય ભેદભાવ: એક જ પ્રશ્ન અંગ્રેજી અને હિન્દીમાં સુધરે, પણ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે એ જ જૂનો ખોટો જવાબ? શું માધ્યમ બદલાવાથી સત્ય બદલાઈ જાય છે ?
પ્રશ્ન ૧૬ અને ૪૫ નો વિવાદ: જ્યારે સરકારી પુસ્તકો ચીસ પાડીને કહેતા હોય કે જવાબ 'આ' આવે, ત્યારે બોર્ડ 'તે' જવાબ પર કેમ મક્કમ છે? આ માત્ર એક માર્કની વાત નથી, હજારો ઉમેદવારોના મેરિટ અને જિંદગીનો સવાલ છે.
પ્રશ્ન નં. 16 - જ્યાં ગ્રેસિંગ આપવું જોઈએ
પ્રશ્ન નં. 45 - જ્યાં સરકારી પાઠ્યપુસ્તક અનુસાર B વિકલ્પ પણ સાચો ઠરે છે
પણ જવાબ?
👉 “ફાઇનલ આન્સર કી આવી ગઈ છે.”
ફાઇનલ એટલે શું યુવાનોને સંભાળવાના પણ નહીં, પુરાવા હોઈ તો પણ યોગ્ય જવાબ નહીં આપવાના ? ફાઇનલ એટલે ભગવાનનો હુકમ ?
સંસ્થાઓ તો મૂર્ખ બનાવવાની ફેક્ટરીઓ છે.ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે સંસ્થાઓને હાથો બનાવવામાં આવે છે.
“કોર્ટમાં જશો તો ભરતી અટકી જશે”
“અમારી પાસે ઇન્સાઇડ માહિતી છે”
“વિરોધ ન કરો, બધું સેટ છે”....
આ આખી પ્રક્રિયામાં જે સૌથી વધુ 'લોટરી' લાગી હોય તો તે છે સંસ્થાઓની. ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા, પોતાના ઉલ્લુ સીધા કરવા અને સરકારના એજન્ટ બનીને 'બધું ઠીક થઈ જશે' ના લોલીપોપ આપવા - આ જ એમનો ધંધો છે. યાદ રાખજો, સંસ્થા તમારા અન્યાય સામે અવાજ નથી ઉઠાવતી, તે માત્ર તમારી ફી માં જ રસ ધરાવે છે, તમારા ભવિષ્યમાં નહીં.
જો ફાઇનલ આન્સર કી માં સુધારો જોઈએ છે તો વિરોધ જ એકમાત્ર રસ્તો છે. રોડ પર કરો કે કોર્ટમાં એ તમારી પસંદ... બન્ને રસ્તે અડગ રહેવું જરૂરી છે.
🕴🏻કોર્ટનો રસ્તો: મજબૂરી કે જરૂરિયાત?
ઘણા 'જ્ઞાનીઓ' સલાહ આપશે કે કોર્ટમાં જશો તો ભરતી લટકી જશે. પણ સાહેબ, જેનું મેરિટ એક માર્ક માટે અટકી જવાનું છે, એની તો આખી જિંદગી લટકી જવાની છે ને ?
કોઈને સમય અને નાણાં ફોકટ વાપરવા ગમતા નથી. પણ જ્યારે સરકાર અને શિક્ષણ વિભાગ બહેરા બને,ત્યારે આ બન્ને સિવાય વિકલ્પ શું રહે ?
👉🏻ઉમેદવારોને ચેતવણી: સંપ રાખજો, બાકી લૂંટાઈ જશો...ગૌણસેવા પસંદગી મંડળની છેલ્લી ભરતીમાં જે રીતે પાસ અને ફેલ ઉમેદવારોને અંદરોઅંદર લડાવીને ટેકનિકલ ગ્લીચ પર પડદો પાડી દેવાયો, તે રમત સમજવાની જરૂર છે.હંમેશા ફૂટ પાડવાની સરકારની નીતિ રહી છે. પાસ ઉમેદવારો સામે ફેલ ઉમેદવારોને ઉભા કરી દીધા. બંને પાસેથી અપીલ કરાવી પોતાનો સ્વાર્થ સાધી લીધો.
🚫મોડું ના કરો: રિઝલ્ટ આવ્યા પછી જાગશો તો કોર્ટ પણ પૂછશે કે અત્યાર સુધી ક્યાં હતા? મેરિટમાં નામ ન આવે પછી કોર્ટ ક્યાંક વ્યર્થ બની ન રહે !
🚫#એકતા જ બળ છે: જો તમે અંદરોઅંદર ફાટા પાડશો, તો ભરતી બોર્ડ બાજી મારી જશે.
🚫વિરોધ સિસ્ટમનો છે: આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, આપણે ખોટા પ્રશ્નો અને જીદ્દી વહીવટના વિરોધી છીએ.
🚫એક પ્રશ્ન, એક માર્ક્સ, તમને હજારો ઉમેદવારો કરતા આગળ લઈ જઈ શકે છે
આવેદન, નિવેદન, રજૂઆત રમ્યા રાખશો તો તમને ગેરમાર્ગે દોરવા માટે માર્કેટમાં રાખેલા લોકો તમને “સારું સારું” બોલીને બાટલીમાં ઉતારતા જ રહેશે.
યાદ રાખજો...
👉 ભરતી બોર્ડ તમારી કરતા દસ ગણું આગળ છે
👉 તેમને ખબર છે ક્યારે શું આપેટી લેવું.
👉 લડશો નહીં તો કશું થવાનું નથી.
👉 સંપ રાખો.
👉 ખોટી સિસ્ટમ સામે લડો, વ્યક્તિ સામે નહીં.
કોર્ટ અને ગાંધીચિંધ્યા માર્ગે રોડ પર આવીને પણ લડવું પડે, આ સિવાય હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.
👉🏻ઇતિહાસ સાક્ષી છે: GPSC 2014 થી લઈને કેસ 2024 ની અનેક ભરતીઓ, GPSC માં ૨૪ પ્રશ્નો સુધર્યા હોય કે CCE માં કોર્ટના ફટકાર બાદ ફેરફાર થયા હોય, આ વ્યવસ્થામાં ન્યાય 'માંગવો' નથી પડતો, ' સિદ્ધ' કરવો પડે છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કે કોર્ટના દ્વાર, જ્યારે સિસ્ટમ બહેરી બને ત્યારે અવાજ મોટો કરવો જ પડે. જો ૩૨,૫૦૦ શિક્ષકોની ભરતી લડતથી આવી શકતી હોય, તો તમારા હકનો એક માર્ક કેમ નહીં? જાગો, લડો અથવા કાયમ માટે અન્યાય સહન કરવાની તૈયારી રાખો.
@Bhupendrapbjp@CMOGuj@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71
ગતરોજ TET 1 ફાયનલ આન્સર કી આવેલી હતી તે અંતર્ગત હવે કોઈ પ્રશ્નોમાં ભૂલ રહી છે કે નહીં!??🤔🤔🤔
જો તમારા ધ્યાને કોઈ પ્રશ્નમાં ભૂલ જણાઈ તો અધિકૃત પુરાવા સાથેનો પ્રશ્ન અહીંયા પોસ્ટમાં મૂકો જેથી કરીને પ્રશ્ન બાબતે ઘણા મિત્રોને કન્ફ્યુઝ છે તો માહિતી મળે...✍️✍️