
Pragnesh Bhoya 🇮🇳🏹🌱
2K posts

Pragnesh Bhoya 🇮🇳🏹🌱
@_praggi_4593
Pharmacist #આદિવાસી🏹🌱🍀🌿






દિવ્યાંગ અનામતની ઘટની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની મંડળની જા.ક્ર.૨૬૬/૨૦૨૪૨૫ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩ અને જા.ક્ર.૨૬૭/૨૦૨૪૨૫ અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩ ની લાયકી પરીક્ષાનું મંડળ દ્વારા તા.૦૪/૧૦/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે વેબસાઈટ જોતા રહો.








જાહેરાત ક્રમાંક: ૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીનું પ્રોવિઝનલ પરિણામ સંભવત: તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર.૩૨૨/૨૦૨૫૨૬ એક્સ-રે-ટેક્નીશીયન, વર્ગ-૩ ની તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ યોજાનાર MCQ-CBRT પધ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષાની હોલ ટીકીટ ઉમેદવારો તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ ૧૨:૦૦ કલાકથી તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૩:૪૫ કલાક સુધીમાં ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક્ર. ૩૨૧/૨૦૨૫૨૬ જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાનું તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવશે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો: 🔗gsssb.gujarat.gov.in




📱 રોજના વોટ્સએપના હજારો મેસેજ, ☎️ સેંકડો કોલ્સ, 💬અનેક ટેક્સ્ટ મેસેજ અને 📩 ટેલીગ્રામના હજારો મેસેજ... આ બધાની સંખ્યા ક્યારેક અવિશ્વસનીય લાગે છે. "મિત્રો હું પણ તમારો જેવો જ એક સામાન્ય માણસ જ છું, મશીન નથી." દરેક કોલ, દરેક મેસેજનો જવાબ આપવાની મારી પોતાની મર્યાદા છે. 👉 કલ્પના કરો – 📞 જો એક જ દિવસમાં 500 લોકો ફોન કરે તો દિવસના 24 કલાક હોવા છતાં દરેકને 3 મિનિટ પણ આપી શકાતી નથી. જો દરરોજ હજારો મેસેજ આવે, તો એ બધાં વાંચવા માટે જ દિવસો ઓછા પડી જાય. આ પરિસ્થિતિમાં કોઈ પણ માનવી માટે બધાને જવાબ આપવો અશક્ય છે. તમારા પ્રશ્નો હજારો છે ❓, પણ સાંભળનાર એકલો જ છું 👤. આ બધું જોઈને ક્યારેક પોતેજ થાકી જાઉં છું.😔 કોઈની લાગણી દુભાય 💔 તે મને પણ ખરેખર દુઃખ આપે છે. હકીકત એ છે કે – 📲 દિવસના 100 જેટલા ફોન ઉઠાવવાની જ મારી ક્ષમતા છે. એક ભાઈથી વિશેષ મિત્ર ફોન કોલ્સ ઉપાડે છે છતાં પણ અનેક કોલ્સ રહી જ જાય છે. વોટ્સએપના હજારો મેસેજિસ 📩 જોવાની તો વાત જ શું કરવી! ક્યારેક સૌથી જરૂરી કોલ પણ રહી જાય છે 📵… અને ક્યારેક બિનજરૂરી કોલ્સમાં સમય વેડફાઈ જાય છે ⌛. તેને કારણે અગત્યની વાત પહોચતી જ નથી.. આટલી બીનપગારી મથામણ, નિઃસ્વાર્થ મહેનત, પરિવારની જવાબદારી વચ્ચે સારું કરવાનો પ્રયત્ન કરીએ તો પણ અંતે દોષારોપણ જ સહન કરવું પડે છે.જે શબ્દોમાં કહી શકાતું નથી, માત્ર મનમાં જ ઝીલાતી રહે છે.💔 મને ખબર છે – કોઈ જવાબ ન મળે ત્યારે તમને દુઃખ થાય. સ્વાભાવિક છે.😢 પણ મારો વિશ્વાસ રાખજો 🙏 – એ અવગણના નથી, એ ફક્ત મારી મર્યાદા છે. આ મારો અભિમાન નથી, આ મારી મજબૂરી છે. ✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)














