
Robin Patel
3.5K posts

Robin Patel
@Robinxpatel
Gramsevak - Agril. Dept.(GoG) | Ex. Revenue Clerk | Agril. Engineer | GPSC Aspirants





ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તેમાં લઘુત્તમ ગુણ 40% અને 60% રાખવામાં આવ્યા છે તેના કારણે બંધારણના અનુચ્છેદ 16-4 તેમજ બંધારણના અનુચ્છેદ 335 નો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ ગયેલ છે અને સરકારી નોકરીમાં મળતા અનામત ખતમ થઈ રહ્યું છે જેવી રીતે રાજકીય અનામત બંધારણના અનુચ્છેદ 330 અને 332 માં આપેલું છે તેની એક પણ સીટ ખાલી રહેતી નથી તો કેમ માત્ર સરકારી નોકરીમાં મળતું અનામત ખતમ કરવામાં આવી રહ્યું છે જો આવનાર સમયમાં કોઈપણ આગેવાન આ બાબતે શિક્ષિત આદિવાસી યુવાનોને સમર્થન કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં ચૂંટણી પંચને રજૂઆત કરીશું કે રાજકીય અનામત પણ ખતમ કરી દેવામાં આવે @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @YAJadeja @AnantPatel1Mla @AmitChavdaINC @isudan_gadhvi @devanshijoshi71










✍️ ડિજિટલ ગુજરાતમાં કામ કેટલી સ્પીડે થાય છે એનો એક નાનકડો નમૂનો. એક ખેડૂત બાપાના ખાતામાં પી. એમ. કિસાન નિધિના હપ્તા આવતા નથી. ખેડૂત બાપાએ મને આશા સાથે આ કામ સોંપ્યું કે દીકરા તપાસ કરી દેને. ગયા સોમવારે તપાસ કરવા ગયો તો જાણવા મળ્યું કે સર્વર બંધ છે એક કામ કરો ગુરુવારે આવજો....(ધક્કો ફેલ) આજે ગયો તો કાચ વગરની ફ્રેમવાળો ઓફિસનો દરવાજો ખુલ્લો છે પણ અંદર કોઈ નથી. બાજુની ઓફિસમાં પૂછ્યું તો કહેવામાં આવ્યું કે સાહેબ આજે રજા પર છે આવતા સોમવારે આવજો.(ધરમ ધક્કો) સેવાનું કામ કરવામાં પણ કંટાળી જવાય. (#kodinar) @CMOGuj @shivasolanki999 @sanghaviharsh @drpradyumanvaja








ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.















