
PrJinal (જિનલ પટેલ)
1.3K posts

PrJinal (જિનલ પટેલ)
@jinal_pr
Pharmacy graduate. working with Abbott India(MNC). Blood Group- (Sensex +ve) Likes Travelling, Music,Foodie with outing










#irctc @IRCTCofficial @AshwiniVaishnaw and we need bullet trains.. trying to book ticket from 10AM and still getting same error.. #tatkal






ગોંડલના હડમતાળા-આંબલિયા રોડ પર બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ તંત્રની #ગુનાહિત_બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. એક ગરીબ શ્રમિક જ્યારે લાઇન પર કામ કરતો હોય ત્યારે પાવર સપ્લાય શરૂ થઈ જવો એ સીધેસીધી માનવસર્જિત હત્યા સમાન છે. કહેવાય છે કે લોકશાહીમાં દરેક નાગરિકના જીવની કિંમત સમાન હોય છે, પરંતુ #PGVCL જેવી સંસ્થાઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કિસ્સામાં આ વાત પોકળ સાબિત થઈ રહી છે. ગોંડલના હડમતાળા પાસે વીજ પોલ પર કામ કરી રહેલા 32 વર્ષીય રાજસ્થાની યુવાન શંકરસિંહ રાવતનું વીજ કરંટથી થયેલું મોત એ તંત્રની અક્ષમ્ય બેદરકારીનું વરવું પ્રદર્શન છે. જ્યારે કોઈ કર્મચારી જીવના જોખમે વીજ પોલ પર કામ કરતો હોય ત્યારે 'શટડાઉન' લેવામાં આવતું હોય છે. તો પછી બપોરે એક વાગ્યે અચાનક વીજ પ્રવાહ કેવી રીતે શરૂ થયો ? શું ફિલ્ડ પર રહેલા અધિકારીઓ અને સબ-સ્ટેશન વચ્ચે સંકલનનો અભાવ હતો ? કે પછી કોઈની ઉતાવળ કે બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો ? સવાલ તંત્રની કાર્યશૈલી પર પણ છે ? કોન્ટ્રાક્ટ કર્મી એટલે શું ‘સસ્તું લોહી’ ? ઘણીવાર જોવા મળે છે કે સરકારી વીજ કંપનીઓ જોખમી કામો કોન્ટ્રાક્ટરોને કે નાના કર્મચારીઓને સોંપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. 🤔 શું કોન્ટ્રાક્ટ પર છે એટલે તેનો જીવ મફત છે? 🤔શા માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાતા નથી? 🤔વીજ પોલ પર લટકેલો મૃતદેહ શું તંત્રની સંવેદનહીનતાની ચીસો નથી પાડતો ? એવું બિલકુલ નથી કે બેદરકારીને કારણે આ એક મૃત્યુ થયું, છેલ્લા 6 મહિનામાં 20 ઉપર આવી ઘટનાઓ સામે આવી છે..મને પ્રશ્ન એ પણ થયા છે કે ભાવ વધારા માટે હડતાલ પાડતું યુનિયન, શ્રમિકના મોતે કેમ મૌન થઈ જાય છે ? જ્યારે પણ યુનિટ દીઠ ભાવ વધારાની કે એજન્સીઓના પેમેન્ટની વાત આવે ત્યારે યુનિયનો એક થઈને દબાણ ઉભું કરે છે. પાવર સપ્લાય ખોરવી નાખવાની ચીમકીઓ અપાય છે અને વહીવટી તંત્રને ઘૂંટણિયે લાવી દેવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે: 😢શું યુનિયનની જવાબદારી માત્ર 'નાણાં' પૂરતી જ મર્યાદિત છે ? 😢શું જે શ્રમિકોના જોરે આ કોન્ટ્રાક્ટરો લાખો-કરોડોના કામ રાખે છે, તે શ્રમિકના જીવની કોઈ કિંમત નથી ? 😢શા માટે આવી ઘટના સમયે યુનિયન PGVCL સામે હડતાલ પાડીને 'સેફ્ટી ફર્સ્ટ'ની માંગણી નથી કરતું ? 😢જ્યારે કોઈ ગરીબ કોન્ટ્રાક્ટ કર્મી જીવ ગુમાવે ત્યારે આ જ સંગઠનોનું 'મૌન' અનેક સવાલો ઉભા કરે છે ❓ આવા તંત્રોની બેદરકારીને કારણે મુત્યુ પામતા કોઈના દીકરા, પતિ કે પિતા હોઈ છે. તેમની લાશ જ્યારે થાંભલા પર લટકતી હોય ત્યારે યુનિયનના હોદ્દેદારોનું મૌન એ આડકતરી રીતે આ ગુનામાં સહભાગી હોવા સમાન છે. હમણાં ને હમણાં ગોંડલ પંથકમાં ત્રીજા કર્મીનું મોત, એ હવે કોઈ અકસ્માત નથી, પણ એક સિસ્ટમેટિક નિષ્ફળતા છે. ખાસ કરીને 'રિટર્ન પાવર' (Return Power) જેવા ગંભીર ટેકનિકલ મુદ્દે PGVCL ની ઉદાસીનતા અને માત્ર નાના કર્મચારીઓને બલિનો બકરો બનાવવાની નીતિ ક્રૂર લાગે છે. જે સાબિત કરે છે કે PGVCL કે અન્ય ડિસ્કોમ કંપની માટે માનવ જીવનની કિંમત શૂન્ય છે. ❓જો આ પણ રિટર્ન પાવરનો મુદ્દો હોય તો તંત્ર તપાસ કરવા કેમ રાજી નથી ? ❓જ્યારે મુખ્ય લાઇન બંધ હોય, ત્યારે લાઇન પર પાવર ક્યાંથી આવ્યો ? ❓PGVCL પાસે આધુનિક ટેકનોલોજી હોવા છતાં, રિટર્ન પાવરના સ્ત્રોતને શોધવામાં તંત્ર શું નિષ્ફળ જાય છે ? 👆🏻વારંવાર રિટર્ન પાવરના અકસ્માતો થાય છે, છતાં કેમ દરેક ટ્રાન્સફોર્મર કે ફીડર પર 'રિવર્સ પાવર પ્રોટેક્શન' સિસ્ટમ મજબૂત કરવામાં આવતી નથી ? 📌 જ્યારે પણ કોઈ અકસ્માત થાય, ત્યારે તરત જ કોઈ નાના ALM (Assistant Line Man) ને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અથવા તેની સામે કાર્યવાહી કરી સંતોષ માની લેવાય છે. 📌શું સાઇટ પર સુરક્ષાના સાધનો પૂરા પાડવા, પ્રોપર શટડાઉન પ્રોટોકોલ ચેક કરવો અને રિટર્ન પાવર અટકાવવાની જવાબદારી DE (Deputy Engineer) કે મોટા અધિકારીઓની નથી? 🤔શા માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો દાખલ થતો નથી? જ્યાં સુધી AC ચેમ્બરમાં બેસતા સાહેબોની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી ફિલ્ડ પર શ્રમિકો મરતા જ રહેશે. આ જ પ્રકારના અકસ્માતો વારંવાર થતા હોય, તો તેનો અર્થ એ છે કે તંત્રએ અગાઉની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. 🤔શું PGVCL માત્ર બિલ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે? 🤔કોન્ટ્રાક્ટરોના માણસોની સુરક્ષા માટે લાઇન ઓડિટ કેમ કરવામાં આવતું નથી? શંકરસિંહ તેના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. એક ગરીબ પરિવારનો દીકરો જ્યારે બીજા રાજ્યમાં કમાવવા આવે અને ત્યાંથી તેની લાશ પરત જાય, ત્યારે તે પરિવાર પર જે વીતતી હોય તેની કલ્પના કરવી પણ અશક્ય છે. મૃત્યુની કોઈ કિંમત હોતી નથી, પણ વહીવટી તંત્ર અને PGVCLએ આ કિસ્સામાં માત્ર કાગળ પરની તપાસ કરવાને બદલે: 1/2









